હૈદરાબાદમાં બનેલી ગેંગરેપની ઘટનાને લઈને હજી લોકોમાં રોષ શાંત પડ્યો નથી ત્યાં ગુજરાતમાં પણ એક પછી એક બળાત્કાર બનાવો સામે આવ્યા છે. અમદાવાદના ચાંદખેડામાં પરણિત મહિલાને યુવકે ચપ્પુ બતાવી એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ
આરોપી ગણપત ઠાકોર અગાઉ ઘરે આર્યુવેદિક દવા લેવા આવી ચુક્યો હતો
પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા
મૂળ બનાસકાંઠાના અને હાલ ચાંદખેડામાં રહેતા એક પરણિત મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. 21મી નવેમ્બરના રોજ મહિલા ઘરે એકલી હતી, તે સમયે રાત્રીના સમયે ગણપત ઠાકોર નામનો યુવક ઘરે આવ્યો હતો અને ચપ્પુ બતાવીને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. મહિલાએ પ્રતિકારક કરતા ગણપતે બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ પતિને જાણ કરતા આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભોગ બનાર મહિલાના પતિ આયુર્વેદિક દવાનું વેચાણ કરે છે જેથી આરોપી ગણપત ઠાકોર અગાઉ ઘરે આર્યુવેદિક દવા લેવા આવી ચુક્યો હતો. જે 21મી નવેમ્બરના રોજ ભોગ બનનાર મહિલાના પતિ બહાર ગામ કામે ગયા હતા. જેથી મહિલા ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવીને ગણપત ઠાકોર મહિલાને ડરાવીને દુષ્કર્મ ગુર્જાયો હતો.
પોલીસ તપાસ કરતા દુષ્કર્મ ગુજાનાર આરોપી ગણપત મૂળ બનાસકાંઠાનો છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.