કચ્છઃ આર્યસમાજના અનાથ આશ્રમમાં રહેતી સગીરાઓ પર દુષ્કર્મ કરાયો છે. આશ્રમમાં રહેતા 2 વિદ્યાર્થીઓએ દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા બાથરૂમમાં ઘસેડી જઈને બળાત્કાર કર્યો છે. 2 મહીના અગાઉ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.
હાલ આ મામલે DySP સહિત પોલીસ કાફલો આર્ય સમાજે તપાસ કરી રહ્યો છે. સામૂહિક દુષ્કર્મના ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે રાજ્ય અને દેશ માટે ગંભીર અને ચિંતાનો વિષય છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના કચ્છમાં સામે આવી છે. આર્યસમાજના અનાથ આશ્રમની સગીરા સાથે બે વિદ્યાર્થીઓએ દુષ્કર્મ આચર્યું હતુ.
સગીરાની ફરિયાદ અનુસાર બે વિદ્યાર્થીઓએ બાથરૂમમાં લઇ જઇ બે મહિના પહેલા દુષ્કર્મ આચર્યું હતું.