ભાવનગરના પાલીતાણામાં વિદ્યાર્થિની પર હથિયારથી હુમલો થયો છે. એમ. એમ. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પર હુમલો કરવામાં આવ્યો છે. સમીર નામના યુવકે વિદ્યાર્થિનીને ધારિયાના ઘા ઝીક્યા દીધા છે. જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થિનીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાને લઇ રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે.
પાટણમાં દુષ્કર્મ
રાજ્યમાં મહિલા સુરક્ષાના દાવાઓ પર સવાલ ઉઠ્યા છે. પાટણના સાંતલપુરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ખળભળાટ મચી ગયો છે. બકુત્રા ગામની શાળામાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની દુર્ઘટના સામે આવી છે. છરી બતાવી કિશોરીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા સલામત ગુજરાત પર સવાલો ઉઠી રહ્યા છે.
ચાકુની અણીએ 3 શખ્સોએ કિશોરીને પિંખી નાંખી હતી. તેમની હેવાનિયત ત્યાં ન અટકી પણ આરોપીઓએ આ દુર્ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. આટલેથી આ દીકરીઓના દુશ્મન ન અટક્યા પણ તેમણે આ દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કર્યો છે. આ ત્રણ હેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. મિતાજખાન સિપાઇ શક્તિસિંહ જાડેજા, જગતસિંહ જાડેજા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ભાવનગરમાં વિદ્યાર્થિનીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાને લઇ રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે.
પાલીતાણાના બજારમાં વિદ્યાર્થિની પર અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થિનીને પગના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ વિદ્યાર્થિનીને માનસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આ દરમિયાન હુમલાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. જો કે, હુમલા પાછળનું કારણ શું છે. તેના માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં એક તરફા પ્રેમીનો કિસ્સો
રાજકોટમાં વધુ એક ધરાર પ્રેમીનો આતંક સામે આવ્યો છે. જેતલસરના જયેશ બાદ રાજકોટના મુકેશે પણ એક દીકરીની પજવણી શરૂ કરી છે. રાજકોટના મુકેશ વાઝાએ ધો-9ની વિદ્યાર્થીનીની પજવણી કરી છે.
આરોપીની કરાઈ ધરપકડ
આરોપી મુકેશ વાઝાએ વિદ્યાર્થીનીને ધમકી આપી છે. પરિવારને પતાવી દેવાની ધમકી આપી છે. પરિવારે આરોપીથી કંટાળી વિદ્યાર્થીનીને દાદાને ઘરે મોકલી આપી હતી. આરોપી મુકેશ વાઝા વિદ્યાર્થીનીના દાદાના ઘરે પણ પહોંચ્યો છે. પરિવારે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવતા મુકેશની ધરપકડ કરાઇ છે.
ગુજરાતમાં દિકરીઓની સુરક્ષાનું શું?
મહત્વનું છે કે, રાજકોટના જેતલરસની સૃષ્ટિ રૈયાણીની હત્યાનો કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. જેતલસરમાં જયેશ સરવૈયા નામના યુવકે છરીના 28 ઘા મારીને સૃષ્ટિ નામની દિકરીની હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એક રોષ જાગ્યો છે. સાથે સૌ કોઈ સૃષ્ટિના હત્યારાને ફાંસીની સજા માટે માગણી કરી રહ્યા છે. તો તેના પિતાએ કહ્યું કે, જે જગ્યાએ મારી દિકરીની હત્યા થઈ તે સ્થળે જ તેને ફાંસી આપવી જોઈએ. .
પ્રેમીએ મિત્ર સાથે મળી આચર્યું દુષ્કર્મ
અમદાવાદમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતની મહિલા સાથે અમદાવાદમાં સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમીએ દારૂ પીને મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું છે. માનસી ચાર રસ્તા પાસે ઓફિસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.
પ્રેમીએ મહિલાને સુરતથી બોલાવી અને તેની સાથે જઘન્ય કૃત્ય કરી નાંખ્યુ છે. એટલું જ નહીં પણ પ્રેમીએ મહિલા પાસેથી 80 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. પ્રેમી રાકેશ અને મહિલા સુરતમાં પડોશી હતા. પ્રેમીએ મહિલાને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું ત્યારે મહિલાએ ના પાડતા મિત્ર સાથે મળી બળજબરી કરી હતી. મહિલાએ પોલીસ ફરિયાદ નોંધવાતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.