સ્ટેશન પર ગીત ગાઇને પોતાનું ભરણપોષણ કરનારી રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની ગઇ. હવે એ ફિલ્મ માટે ગીત ગાઇ રહી છે, જેની પર લતા મંગેશકરે પણ કમેન્ટ કરી જે એના કેટલાક પ્રશસંકોને સારી લાગી નથી.
દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ટરનેટ સનસની બનેલી રાનૂ મંડલ પર પોતાની પ્રતિક્રિયા આપતા એમને 'ઓરિજનિલ બનવાની' સલાહ આપી દીધી. લતા મંગેશકર દ્વારા રાનૂને કહેવામાં આવેલી આ વાત એમના ફેન્સને પસંદ આવી નહીં અને લોકોએ એવું કહેવાનું શરૂ કરી દીધું કે તેઓ આ વાતને થોડી વિનમ્રતા અંદાજમાં પણ કહી શકતા હતા.
એક યૂઝરે ટ્વિટર પર લખ્યું, 'આટલી મોટી સુપરસ્ટાર અને આટલી વિનમ્ર.' તો કોઇ બીજા યૂઝરે લખ્યું, 'એક ગરીબ મહિલા પોતાના ભરણ પોષણ માટે રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી. આશ્ચર્યજનક ઢંગથી એના અવાજને સોશ્યલ મીડિયા પર લોકોએ નોટિસ કર્યો અને એ સ્ટાર બની ગઇ. લતા જી વધારે વિનમ્ર થઇને એના વખાણ અને મદદ કરી શકતી હતી. નકલ કરનાર વાળી એમની આ વાત નજરઅંદાજ કરી શકાતી હતી.'
એક યૂઝરે લતા મંગેશકરની આ વાતથી અસહમતિ વ્યક્ત કરતાં એના શબ્દોમાં 'કઠોર' કહ્યું. પશ્વિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકર દ્વારા ગવાયેલું ગીત 'એક પ્યાર કા નગમા હે' ને ગાઇને રાનૂ મંડલ રાતોરાત ઇન્ટરનેટ પર છવાઇ ગઇ, એમને હિમેશ રેશમિયાના ગીતનો બ્રેક પણ આપ્યો અને અત્યાર સુધી તેઓ હિમેશની સાથે ત્રણ ગીતો પણ રેકોર્ડ કરી ચુકી છે.
ઉલ્લેખનીય છે કે રાનૂ માટે વાત કરતાં એમને તાજેતરમાં કહ્યું, ''જો મારા નામ અને કામથી કોઇનું સારું થાય છે તો હું મારી જાતને ખુશનસીબ માનું છું. પરંતું એવું પણ હું મહેસૂસ કરું છું કે નકલ કરવાથી તમને લાંબા સમય સુધી સફળતા મળી શકતી નથી. કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોસલે અને મુકેશના ગીત ગાઇને આકાંક્ષી ગાયકોને થોડાક સમય માટે અટેન્શન મળે છે પરંતુ એ લાંબા સમય સુધી રહેતી નથી.''