સ્ટેશન પર ગીત ગીતા રાનૂ મંડલની લાઇફ કંઇક એવી રીતે બદલાઇ કે એ રાતોરાત સેલિબ્રિટી બની ગઇ. રાનૂએ હિમેશ રેશમિયાની ફિલ્મ માટે ગીત ગાયું. આજે તેની એક ઓળખ છે. રાનૂને આજે ભલે કરોડો લોકો જાણે છે પરંતુ કેટલા લોકો એવા હશે જે એની લાઇફની કહાની માટે જાણતા હશે? રાનૂનું કહેવું છે કે એની લાઇફ પર ફિલ્મ બનવી જોઇએ.
આશરે 60 વર્ષ પહેલા તેનો એક સારા પરિવારમાં જન્મ થયો હતો. દુર્ભાગ્યથી તે પોતાના માતા પિતાથી અલગ થઇ ગઇ. બાદમાં એને એક રસોઇયા સાથે લગ્ન કર્યા, જે જાણીતા બોલીવુડ સ્ટાર ફિરોઝ ખાનના ત્યાં કામ કરતો હતો. એની સાથે તે પશ્નિમ બંગાળથી મુંબઇ આવી ગઇ પરંતુ ત્યારબાદ એના પરિવારના સંબંધમાં મતભેદ થવા લાગ્યા. એની સાથે એની જીંદગીના સંઘર્ષ પણ વધવા લાગ્યા.
રાનૂએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, 'મારી લાઇફની સ્ટોરી ખૂબ લાંબી છે, મારા જીવનની કહાની પર એક ફિલ્મ બની શકે છે. આ એક ખાસ ફિલ્મ હશે.'
રાનૂએ કહ્યું, 'હું ફૂટપાથ પર પેદા થઇ નહતી. હું એક સારા પરિવારમાંથી હતી, પરંતુ કદાચ આવું બધું જ મારી લાઇફમાં લખાયું હતું. હું મારા માતા પિતાથી માત્ર છ મહિનાની ઉંમરમાં અલગ થઇ ગઇ. રાનૂએ જણાવ્યું કે એની દાદીએ એનુ પાલનપોષણ કર્યું, પરંતુ એના માટે જીવન સરળ નહતું.'
રાનૂ કહે છે, 'અમારી પાસે ઘર હતું, પરંતુ શું તમે જાણો છો એને ચલાવવા માટે લોકોની જરૂર પડે છે. ઘણા દિવસો હું એકલી હતી. મે ખૂબ સંઘર્ષ કર્યું, પરંતુ મને મારા ભગવાન પર ભરોસો હતો. હું પરિસ્થિતિઓ પ્રમાણે ગીત ગાતી હતી. એવું નહતું કે મને ગીત ગાવાની તક આપી, પરંતુ મને ગીત ગાવા માટેનો પ્રેમ હતો, એટલા માટે હું ગીત ગાતી હતી.'
રાનૂએ યાદ કરતા કહ્યું, 'હું લતા મંગેશકરના ગીતો શીખતી હતી, એમને મને નથી શિખવાડ્યું, પરંતુ મે રેડિયો અને કેસેટથી શીખ્યા.' એના ઘણા વર્ષો બાદ, એને લગ્ન કર્યા.
રાનૂએ જણાવ્યું કે, 'અમે લગ્ન બાદ પશ્વિમ બંગાળથી મુંબઇ શિફ્ટ થઇ ગયા. મારા પતિ ફિલ્મસ્ટાર ફિરોઝ ખાનના ઘરે રસોઇયા હતા. એ સમયે એમનો પુત્ર ફરદીન કૉલેજમાં હતો.' રાનૂએ કહ્યું, 'તેઓ અમારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતા હતા.'
રાનૂએ મુંબઇમાં પોતાના જીવનનો આનંદ લીધો. નવી નવી ફિલ્મો જોઇ, જેમા જેકી શ્રોફની ફિલ્મ 'હીરો' પણ હતી. પરંતુ ત્યારબાદ એનો પરિવાર તૂટી ગયો અને એ પરત એના ગૃહ રાજ્યમાં પરત આવી ગઇ.
રાનૂએ કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું અને ખૂબ જ સારુ મહેસૂસ કરી રહી છું, વાત એ છે કે મુંબઇમાં સંગીતની સુવિધાઓ મારા માટે ખૂબ મહત્વ રાખે છે. મારા ઘરથી મુંબઇ આવવું અને પાછું વિમાનથી પરત ફરવું પણ કઠિન છે. સારું થાત મુંબઇમાં મારું એક ઘર હોત. પરંતુ મારે એના માટે વિચારવાની જરૂર નથી. ભગવાન છે.'