રાણપુરના ઈન્ચાર્જ મામલતદાર ભટ્ટ જેઓને 10 દિવસ પહેલા ફરજપર હૃદય હુમલો આવ્યો હતો ત્યારે પાંચ દિવસની સારવાર લઈને હાલ પોતાની ફરજ પર લાગી ગયા છે. સ્વાસ્થ્ય ચિંતા કર્યા વિના હાજર થતાં લોકો તેમની જવાબદારીને બિરદાવી હતી.
રાણપુરમાં ઇ.મામલતદારની ફરજનિષ્ઠા
મામલતદારને આવ્યો હતો એટેક
ડૉક્ટરોએ આપી હતી આરામની સલાહ
કોરોના મહામારીને લઇ લોકડાઉન જાહેર કરાયું છે. જેને લઇ કોરોના સામેની લડાઇમાં અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. ત્યારે બોટાદના રાણપુરમાં પણ ઇન્ચાર્જ મામલતદારની ફરજ નિષ્ઠા સામે આવી છે. મામલતદારને હાર્ટ એટેક આવ્યો હોવા છતાં પણ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. ઇન્ચાર્જ મામલતદાર અલ્કેશ ભટ્ટને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા. ડૉક્ટર દ્વારા ઓછામાં ઓછા 10 દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. છતાં કોરોનાની ગંભીરતા જોતા આરામ કરવાની જગ્યાએ ફરજ પર પરત ફર્યા હતા.
તેઓને એક શ્વાસ નળીમાં 90 ટકા જેટલો બ્લોકેજ આવતા તેઓને સર્જરી કરી અને સ્ટેન્ટ મુકવામાં આવ્યું હતું. જ્યારબાદ તેઓને 28 માર્ચ સુધી હૉસ્પિટલાઈઝ રાખવામાં આવ્યા બાદ રજા આપવામાં આવી હતી. જ્યાં ડૉક્ટર દ્વારા તેઓને ઓછામાં ઓછા 10 દિવસ બિલકુલ આરામમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.
સ્વાસ્થ્ય ચિંતા કર્યા વિના હાજર થતાં લોકો તેમની જવાબદારીને બિરદાવી
ત્યારે 5 દિવસ બાદ પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાની અનુભૂતિ થતાં તેઓએ જાતે ઉપરી અધિકારીને જાણ કરી અને COVID-19 કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઇ અને તેઓને ફરજ પર પરત લેવાની ભલામણ કરતા ઉપરી અધિકારી દ્વારા તેઓને ફરજ પર પરત લેવાતા રાણપુર મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જે મામલતદાર તરીકે ફરજ પર સમય અને કોરોના વાયરસની ગંભીરતા વચ્ચે પોતાના સ્વાસ્થ્ય ચિંતા કર્યા હાજર થતાં લોકો તેઓના આ ફરજ પ્રત્યેની જવાબદારીને બિરદાવી રહ્યા છે.