બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / રંકને બનાવશે રાજા! રાહુના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિના લોકોની કિસ્મત ચમકશે
Last Updated: 09:46 PM, 17 June 2024
Rahu Nakshatra Gochar 2024: જ્યોતિષ શાસ્ત્રમાં,છાયા ગ્રહ રાહુને સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષમાં સંક્રમણ કરે છે અને હંમેશા વક્રી ચાલ ચાલે છે. કુંડળીમાં રાહુની સ્થિતિ વ્યક્તિને રાજાથી રંક અને રંકથી રાજા બનાવી શકે છે. વર્ષ 2023માં રાહુ સંક્રમણ કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે રાહુ 18 મે 2025 સુધી મીન રાશિમાં રહેશે. પરંતુ આ સમયગાળા દરમિયાન રાહુ નક્ષત્ર બદલાશે. હાલમાં રાહુ રેવતી નક્ષત્રમાં છે અને હવે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાનો છે.
ADVERTISEMENT
શનિના નક્ષત્રમાં રહેલો રાહુ 3 રાશિઓના ભાગ્યને ચમકાવશે
8મી જુલાઈએ રાહુ નક્ષત્ર બદલશે. રાહુ નક્ષત્ર ગોચર કર્યા બાદ તે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી શનિ છે. તેથી શનિના નક્ષત્રમાં રાહુનો પ્રવેશ મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. ઉત્તરાભાદ્ર પદ નક્ષત્રને અદ્ભુત નક્ષત્રોમાંનું એક ગણવામાં આવે છે. આ નક્ષત્ર સફળતા, આધ્યાત્મિકતા, અચાનક આર્થિક લાભ વગેરેનું કારણ માનવામાં આવે છે. વાસ્તવમાં રાહુ માટે શનિનું મળવું સારું નથી હોતુ. પરંતુ જો શનિ શુભ સ્થિતિમાં હોય તો તેની સકારાત્મક અસર થાય છે. આવો જાણીએ કઈ રાશિ પર રાહુના નક્ષત્રમાં પરિવર્તનની શુભ અસર થશે.
ADVERTISEMENT
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, જે રાહુનો મિત્ર ગ્રહ છે. રાહુનું સંક્રમણ વૃષભ રાશિના જાતકોને ભારે આર્થિક લાભ લાવશે. તેમજ લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થશે. તમને અણધારી મદદ મળશે. શેરબજારથી લાભ થશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
વૃશ્ચિક રાશિ
રાહુનું નક્ષત્ર ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. કરિયરમાં લાભ થશે. ફાઈનાન્સ સાથે જોડાયેલા લોકો માટે સમય ખાસ કરીને સારો છે. આ લોકોના પેન્ડિંગ કામ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
વધુ વાંચોઃ આ 3 રાશિના જાતકોને હવે જલસા પડી જશે, 1 વર્ષ બાદ મિથુન રાશિમાં સર્જાશે 'શુક્રાદિત્ય રાજયોગ'
તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી ગ્રહ પણ શુક્ર છે અને રાહુનો અનુકૂળ ગ્રહ હોવાથી આ રાશિના લોકોને લાભ થશે. નોકરી કરનારાઓને પ્રમોશન મળશે. આ લોકોની આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. જેઓ વિદેશથી સંબંધિત વેપાર કરે છે તેમને ઘણો ફાયદો થશે.
(Dislaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. તમે અપનાવતા પહેલા આ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT