આજના દિવસે જ 1872માં હિંદુસ્તાનના મહાન ક્રિકેટરોમાં શુમાર કુમાર શ્રી રણજીત સિંહજીનો જન્મ થયો હતો. તો બીજી બાજુ ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર પહેલો ભારતીય રહ્યા.
રણજીત સિંહે લેગ ગ્લાન્સની શોધ કરી હતી.
લેગ ગ્લાન્સના દમ પર લેગ સાઇડ પર રનનો વરસાદ કર્યો હતો.
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 10 સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે. આજના દિવસે 1872માં હિંદુસ્તાનના મહાન ક્રિકેટરોમાં શુમાર કુમાર શ્રી રણજીત સિંહજીનો કાઠિયાવાડમાં જન્મ થયો હતો. તેઓ ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર પહેલા ભારતીય હતા. આના કરતાં પણ વધારે ભારતના પ્રતિષ્ઠિત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટ- 'રણજી ટ્રોફી' એમના નામ પર જ છે. રણજીત સિંહે લેગ ગ્લાન્સની શોધ કરી હતી. એમને પોતાની આ અનોખી ટેકનીકના દમ પર લેગ સાઇડ પર રન બનાવ્યા હતા.
રણજીત સિંહના નામ પર એક અદ્ભુત રેકોર્ડ છે. અંગ્રેજોની ટીમમાં રમનાર આ ભારતીય દિગ્ગજે 22 ઓગસ્ટ 1896માં ઇતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં, એમને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં એક જ દિવસમાં બે સેન્ચ્યુરી ફટકાર્યોનો રેકોર્ડ બનાવ્યો હતો.
રણજીત સિંહજીએ ત્યારે એક મહિના પહેલા જ ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ (જુલાઇ 1896)માં પદાર્પણ કરતા નોટઆઉટ 154 રન બનાવ્યા હતા અને એ જ ફોર્મમાં જારી રાખતા ઇંગ્લેન્ડના હોવ શહેરમાં સસેક્સ તરફથી રમતા યૉર્કશાયરની વિરુદ્ધ એક જ દિવસમાં બે સેન્ચ્યુરી (100 અને નાબાદ 125 રન) ઇનિંન્ગ રમી હતી.
યૉર્કશાયરે પહેલા રમતા પોતાની પહેલી ઇનિંન્ગમાં 407 બનાવ્યા હતા. જવાબમાં સસેક્સની ટીમ ત્રીજા દિવસે રણજીત સિંહજીની સેન્ચ્યુરી છતાં 191 રને પૂર્ણ થઇ ગઇ અને ફૉલોઑન બચાવી શકી નહીં. ત્યારબાદ ફૉલોઑન ઇનિંન્ગમાં એક વખત ફરીથી રણજીત સિંહે નોટઆઉટ 125 રન કરી દીધા અને એક જ દિવસમાં બે સેન્ચ્યુરી કરવાનો કરિશ્મા દેખાડ્યો. રણજીત સિંહજીની સેન્ચ્યુરીના કારણે સસેક્સે 260/2 રન બનાવી મેચ બચાવી લીધી.
FACTS-
આ સાથે એક જ મેચમાં બે સેન્ચ્યુરી ફટકારનાર સસેક્સ ત્રીજા બેટ્સમેન બની ગયા. પરંતુ એનાથી પણ વધારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ દિવસમાં બે સેન્ચ્યુરી કરનાર એકમાત્ર ક્રિકેટર બન્યા.
રણજીત સિંહજી બાદ કોઇ પણ બેટ્સમેને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં આવો રેકોર્ડ બનાવ્યો નથી. જો કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતા મેથ્યૂ એલિયટે 31 ડિસેમ્બર 1995એ 104 રન બનાવ્યા અને ત્યારબાદ ફૉલોઑન ઇનિંન્ગમાં 135 રન બનાવ્યા હતા. ત્યારે એલિયટ પહેલી ઇનિંન્ગમાં એક દિવસ પહેલા 98 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.
આ કારણથી એલિયટને સેન્ચ્યુરીની સરખામણી રણજીત સિંહજી સાથે કરી શકાય નહીં.
હાં, સ્પેનના બેટ્સમેન તારિક અલી અવાને 4 સપ્ટેમ્બર 2012એ યૂરોપિયન ચેમ્પિયનશિપ ડિવિઝન-2 ટી-20માં એક જ દિવસ નોટઆઉટ 150 અને 148 રનોની ઇનિંન્ગ રમી હતી. ત્યારે એસ્ટોનિયાની વિરુદ્ધ તારિકે 66 બોલમાં નોટઆઉટ 150 અને એ દિવસે આગળની મેચમાં પુર્તગાલ વિરુદ્ધ સેમીફાઇનલમાં 148 રન બનાવ્યા હતા. જો કે એમની ટીમ ફાઇનલમાં સ્થાન બનાવવામાં ચૂકી ગઇ.
રણજીત સિંહજીનું કરિયર
રણજીત સિંહજી ઇંગ્લેન્ડની તરફથી (1896-1902) 15 ટેસ્ટ મેચોમાં ઊતર્યા અને આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ હતી. એમને ભારત માટે ક્યારેય કોઇ મેચ રમી નથી.
રણજીત સિંહજી ઇંગ્લેન્ડની તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર પહેલા ભારતીય રહ્યા.