CBIના પૂર્વ ડિરેક્ટર રંજીત સિન્હાનું આજે દિલ્હી ખાતે નિધન થયું છે. સમાચાર એજન્સી ANI અનુસાર 68 વર્ષીય સિન્હાએ દિલ્હીમાં શુક્રવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
કેન્દ્રીય સંસ્થા CBIના પૂર્વ ચીફ રંજીત સિન્હા 68 વર્ષના હતા અને પોતાના કરિયરમાં તેઓ CBIના ડાયરેક્ટર, ITBPના ડીજી જેવા મહત્વના પદ પર રહી ચૂક્યા છે.
રંજીત સિંહા પર ભ્રષ્ટાચારના પણ આરોપ લાગ્યા હતા અને તેમના સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર CBIના ચીફ પદ પર રહેતા કોલસા કૌભાંડની તપાસને પ્રભાવિત કરવાના આરોપ હતા.
Ranjit Sinha's #COVID19 report had come yesterday, he had tested positive for the disease.