વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાને લઇને મહારાષ્ટ્ર ભાજપના સંકલ્પ પત્રને લઇને દંગલ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પણ સાવરકરના અનુયાયી હતા.
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પણ સાવરકરના અનુયાયી હતા
સાવરકરથી વધારે ધર્મનિરપેક્ષ માણસ શોધી નહીં શકોઃ રણજીત સાવરકર
ઇન્દિરા ગાંધીએ વીર સાવરકરને સન્માનિત કર્યાં હતા
વીર સાવરકરના પૌત્રએ કહ્યું કે ઇન્દિરા ગાંધીએ પણ વીર સાવરકરને સન્માનિત કર્યાં હતા. મને દ્રઢતાથી લાગી રહ્યું છે કે ઇન્દિરા ગાંધી પણ વીર સાવરકરના અનુયાયી હતા.
Ranjeet Savarkar,grandson of Veer Savarkar: Indira Gandhi honoured Veer Savarkar, I strongly feel she was his follower because she brought Pakistan to its knees,strengthened army and foreign relations, she also did nuclear tests.All this is against Nehru and Gandhi's philosophy pic.twitter.com/itIDI4QlKe
નેહરૂ અને ગાંધીની ફિલોસોફી કરતાં ઇન્દિરા ગાંધીની અલગ રાજનીતિ
રણજીત સાવરકરે કહ્યું કે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન વિરુધ્ધ જે પગલા લીધા હતા. ઇન્દિર ગાંધીએ કરેલા કાર્યો નેહરૂ અને ગાંધીની ફિલોસોફી કરતા વિરુધ્ધ હતા. ઇન્દિરા ગાંધીએ સેના અને વિદેશી સંબંધોને મજબૂત કર્યા અને પરમાણુ પરીક્ષણ પણ કર્યું.
Ranjeet,grandson of Veer Savarkar:Owaisi should follow Savarkar's belief that keep religion in your house,when out you are not Hindu or Muslim but Indian.Savarkar expected all who enter Parliament to keep caste,religion,sex etc out. You wont find a more secular man than Savarkar https://t.co/dFir8hwDKspic.twitter.com/FeGRpgxQZj
રણજીત સાવરકરે જણાવ્યું કે ઔવેસીએ સાવરકરના એ વિશ્વાસનું પાલન કરવું જોઇએ કે ધર્મને પોતાના ઘરમાં રાખે. જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે હિન્દુ કે મુસલમાન નહીં પરંતુ ભારતીય છો. વીર સાવરકર ઇચ્છતા હતા કે સંસદમાં જે પણ પ્રવેશ કરે તેઓ જાતિ, ધર્મ, લિંગ વગેરેને બહાર રાખે.
ઔવેસીએ વીર સાવરકરને લઇને આપ્યું હતુ નિવેદન
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસુરદ્દીન ઔવેસીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાનું ષડયંત્રકારને કેવી રીતે ભારત રત્ન આપવા અંગે વિચારી શકાય. જો તમે સાવરકરને આપી રહ્યાં છો તો નથુરામ ગોડસેને પણ ભારત રત્ન આપો.