લખનઉમાં વિશ્વ હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રંજીત બચ્ચનની બાઇકસવાર શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી છે. આ ઘટના મોર્નિંગ વોક સમયે બની હતી. રંજીતના ભાઇને પણ ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રંજીત બચ્ચન ગોરખપુરના નિવાસી છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા અને હવે તેમની ધરપકડ કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રંજીત બચ્ચનની હત્યા
મોર્નિંગ વોક સમયે બની ઘટના
બાઈકસવાર શખ્સોએ ગોળી મારી કરી હત્યા, આરોપીઓની થઈ ધરપકડ
યૂપીમાં કાયદાકીય વ્યવસ્થા પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. રાજધાની લખનઉના હજરતગંજમાં વિશ્વ હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ સવારે મોર્નિંગ વોક માટે ગયા હતા.
4 minor boys arrested in Hindu temple vandalism incident in Pak's Sindh province, set free
હુમલાખોરોએ રંજીતના માથા પર ગોળીઓ મારી હતી. સવારે બનેલી આ ઘટનાથી સનસની મચી હતી. હુમલામાં રંજીતના ભાઈને પણ ગોળી વાગી હતી. હાથમાં ગોળી વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.
ગોરખપુરના રહેવાસી છે રંજીત
રંજીત ગોરખપુરના રહેવાસી છે. અહીં ઓસીઆર બિલ્ડિંગના બી બ્લોકમાં રહેતા હતા. પહેલાં રંજીત સમાજવાદી પાર્ટીને માટે સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા હતા. હાલમાં આરોપીઓ ફરાર છે. પોલીસની 6 ટીમ અને ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીઓની તપાસ કરી રહી છે.