ઉત્તર પ્રદેશમાં આ વખતની વિધાનસભા ચૂંટણી વધું રસપ્રદ થવાની છે. જો કે, ભારતીય જનતા પાર્ટીમાંથી સૌથી ધનવાન મહિલા ઉમેદવાર એક રાજાશાહી પરિવારમાંથી આવે છે.
ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 312 પર જીત મેળવી હતી. એડીઆરના રિપોર્ટ જણાવે છે કે, આ 312 સીટો પર ભાજપના કુલ 235 ધારાસભ્યો કરોડપતિ હતાં. જેમાંથી એક છે રાણી પક્ષાલિકા સિંહ. આગરાના ભદાવર રાજાશાહી પરિવારમાંથી આવતા પક્ષાલિકા ઉત્તર પ્રદેશના સૌથી અમીર મહિલા ધારાસભ્ય પણ છે અને તેઓ આવખતે આગરાની બાહ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
કોણ છે રાણી પક્ષાલિકા સિંહ
પક્ષાલિકા આગરાના ભદાવર રાજાશાહી પરિવારના રાણી છે. ભદાવર રાજાશાહી આઝાદી બાદથી રાજકારણમાં સક્રિય હતું. આ રાજપરિવારના લોકો બાહ વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા આવે છે અને રાજપરિવાર સાથે જોડાયેલા સભ્યો 11 વાર આ સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.
1952માં પ્રથમ વખત લડ્યા હતાં ચૂંટણી
ભદાવર રાજ પરિવારના રાજા મહેન્દ્ર રિપુદમન સિંહે 1952માં પહેલી વાર ચૂંટણી લડી હતી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તે સમયે અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. બાદમાં જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા, તેમણે 1980માં જનતા પાર્ટીએ બાહ વિધાનસભા સીટ પર ઉમેદવાર બનાવ્યા હતા. 1984માં ઈંદિરા ગાંધીની હત્યા બાદ તેમણે ચૂંટણી લડી નહોતી અને ત્યારે આ સીટ પર કોંગ્રેસની જીત થઈ હતી.
1989માં બીજી પેઢી ચૂંટણીમાં ઉતરી
1989માં રાજા મહેન્દ્ર રિપુદમન સિંહના દિકરા રાજા અરિદમન સિંહે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતર્યા અને જીત મેળવી હતી. 19991ની ચૂંટણીમાં તેમણે જનતા દળની ટિકિટ પરથી લડ્યા. 1996 અને 2002માં તેઓ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી ને વિધાનસભામાં પહોંચ્યા. 2007માં રાજા અરિદમન સિંહને બસપા ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા અને 2012માં ચૂંટણી સપા ટિકિટમાંથી લડ્યાં. આ જ કારણ છે કે, અખિલેશ યાદવની સરકારમાં રાજા અરિદમન સિંહને મંત્રી પણ બનાવ્યા હતા. ત્રણ વર્ષ સુધી મંત્રી રહ્યા બાદ તેમની પાસેથી પરિવહન મંત્રાલય છીનવી લેવામા આવ્યું અને સ્ટેમ્પ વિભાગ આપી દેવામાં આવ્યો. બાદમાં તેમને મંત્રીમંડળમાંથી પણ હટાવી દેવામાં આવ્યા. 2017માં રાજા અરિદમન સિંહ પોતાની પત્ની રાની પક્ષાલિકા સિંહ સાથે ભાજપમાં જતાં રહ્યા. ભાજપમાંથી પક્ષાલિકાને ટિકિટ મળી અને તેઓ જીતી ગયા.
આ હથિયારના માલિક છે રાણી
રાની પક્ષાલિકા સિંહે પોતાના એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેમના અને તેમના પતિની પાસે કુલ 132 હથિયાર છે બધાં એન્ટીક છે. રાની પક્ષાલિકાની પાસે 22 બોરની એક એનપીબી રાઈફલ, પિસ્તૌલ અને ડીબીબીએલ ગન છે. તો વળી તેમના રાજા પતિ અરિદમન સિંહના નામ પર 12 બોરની એક ડીબીબીએલ ગન, એક પિસ્તૌલ , એક કાર્બાઈન, 34 તલવાર, 31 ખંજર, 53 છરા અને આઠ ચાકૂ છે. આવી રીતે તેમના ઘરમાં કુલ 132 હથિયારો છે. જેની કિંમત 50 લાખ રૂપિયા છે.
રાજપરિવારના નામે છે કુલ 21 બેંક અકાઉન્ટ
રાની પક્ષાલિકાએ પોતાના એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે તેના પતિ અને તેમની પાસે કુલ 50 હજાર રૂપિયા કૈશ છે. રાની પક્ષાલિકા, તેમના પતિ અને પરિવારના નામ પર કુલ 21 બેંક ખાતા છે જેમાં એકલા નવ ખાતા રાની પક્ષાલિકાના નામે છે. જ્યારે આઠ તેમના પતિના નામે છે. અને ચાર પારિવારીક બેંક ખાતા છે. રાની પક્ષાલિકાના નવ બેંક ખાતાામાં 1.39 કરોડ રૂપિયા જમા છે અને રાજા અરિદમન ના આઠ ખાતામાં 68.15 લાખ રૂપિયા છે. પારિવારીક ખાતામાં લગભગ 30 લાખ રૂપિયા છે.
કેટલી છે રાણી પાસે સંપત્તિ
61 વર્ષિય રાણી પક્ષાલિકાએ બિઝનેસ, કૃષિ અને રોકાણથી થતાં નફા દ્વારા આવક થાય છે. પક્ષાલિકાએ 2021માં 4.71 લાખ રૂપિયા આવક જમા કરાવી, જ્યારે તેમના પતિએ 26.30 લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો. રાજા અને રાની પાસે લગભગ 90 લાખ રૂપિયાના ઘરેણાં છે. રાણી પક્ષાલિકાની કુલ ચલ સંપત્તિ 2.23 કરોડ રૂપિયા છે. જ્યારે પતિ પાસે કુલ 1.30 કરોડની ચલ સંપત્તિ છે. રાણી પક્ષાલિકાની પાસે પાંચ કરોડની અચલ સંપત્તિ અને તેમના પતિ પાસે કુલ 31.17 કરોડની અચલ સંપકતિ છે. 18.27 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ પરિવારની છે. રાજા અને રાણી પાસે કુલ 54.44 કરોડ રૂપિયાની જમીન પણ છે.
2017ની સરખામણીએ વધી નથી સંપત્તિ
2017ની ચૂંટણી દરમિયાન આપેલા એફિડેવિટમાં રાણી પક્ષાલિકાએ 58.29 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ ઘોષિત કરી હતી. આ વખતે પણ 58.444 કરોડની છે. 2017માં પક્ષાલિકા અને તેના પતિની પાસે કુલ 1.30 લાખ રૂપિયા કૈશ હતા., જ્યારે બંનેના બેંક ખાતામાં 1.81 કરોડ રૂપિયા જમા હતાં. પાંચ વર્ષ પહેલા રાણીની કુલ ચલ સંપત્તિ 3.16 કરોડ રૂપિયા અને 55.13 કરોડ રૂપિયા અચલ સંપત્તિ હતી.