મહેસાણામાં વનરક્ષક પરીક્ષામાં કોપી કેસના મામલે રેન્જ આઈજી અભય ચુડાસમાએ મોટું નિવેદન આપતાં જણાવ્યું કે, પેપર લીક નહોતું થયું કોપી કરાયું હતું.
વનરક્ષક પરીક્ષામાં કોપી કેસનો મામલો
રેન્જ આઈજી અભય ચુડાસમાનું મહત્વનું નિવેદન
પેપર લીક નહોતું થયું કોપી કરાયું હતું-ચુડાસમા
સરકારી પરીક્ષાઓમાં ગેરરીતીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર મહેસાણામાં વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતી થતા થઇ હોવાનુ સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે રેન્જ આઈજી અભય ચુડાસમાએ મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પેપર લીક નહોતું થયું કોપી કરાયું હતું.
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાનું નિવેદન
મહેસાણામાં વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં કેટલાક ઉમેદવારોને પાસ કરવા ષડયંત્ર રચાયું હતું. અને જેનો મુખ્ય આરોપી રાજુ ચૌધરી હતી. જેની પોલીસે અટકાયત કરી છે. તેમજ આ મામલે "પેપર લીક થયું ન હતું, કોપી કરવામાં આવ્યું હતું" પોલીસ આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે.
શું હતો સમગ્ર મામલો ?
મહેસાણાના ઉનાવામાં વનરક્ષક પરીક્ષા યોજાઇ હતી. જેમાં લેટરપેડ પર સવાલના જવાબો લખેલા મળી આવતા મામલો ગરમાયો હતો. જે મામલે હોબાળો થતા પ્યુન દ્વારા લેટરપેડ સળગાવી દેવામાં આવ્યું પરંતુ આ ઘટનામાં રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. સુમિત ચૌધરીને સવારે 9 વાગે શાળાના ધાબા પર બેસાડાયો હતો. તેને પેપર સોલ્વ કરવાની જવાબદારી સોંપાઈ હતી. માયા ઉર્ફે મનીષા ચૌધરીને પાસ કરાવવા આ ષડયંત્ર રચ્યું હતું. શાળાના પટ્ટાવાળા એટલે કે પિયુષ ઘનશ્યામ ભેમજીભાઇએ ગેરહાજર વિદ્યાર્થીના પેપરના ફોટો પાડ્યા હતા અને તે ફાટા પાડીને રાજુ અને સ્મિતને મોકલ્યા હતા.
રવિ મકવાણા ઝડપાતા ગેરરીતિનો પર્દાફાશ થયો
રાજુ ચૌધરીએ માયા ચૌધરીને પાસ કરાવવા માટે આખુ ષડયંત્ર રચ્યુ હતું. રાજુ જ્યારે જવાબની કોપી આપવા ગયો ત્યારે રવિ મકવાણા પાણી પીવા આવ્યો હતો અને તેણે રાજુને કોપી કરાવતા જોઇ લીધો. ત્યારબાદ આરોપીઓએ રવિ મકવાણાને પણ જવાબ આપ્યા હતા. જો કે રવિ મકવાણા પકડાઇ જતા સમગ્ર ગેરરીતીનો પર્દાફાશ થયો હતો.