2008માં અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેના આરોપીઓને આજે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. જેમા 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે.ત્યારે ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાનું બ્લાસ્ટ કેસમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, બ્લાસ્ટ કેસમાં દોષિતોને ફાંસીની સજા અપેક્ષિત હતી. બ્લાસ્ટ કેસમાં ક્રાઈમ બ્રાંચની તપાસ લાંબા સમય સુધી ચાલી હતી. કેરળ થી કશ્મીર સુધી અનેક રાજ્યમાં ટીમે તપાસ કરી આરોપીને ઝડપ્યા હતા
2008 Ahmedabad serial bomb blast case | A special court will pronounce the quantum of sentence against 49 convicts today pic.twitter.com/iz279NqwYF
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં 2008ના એ બોમ્બ બ્લાસ્ટ જ્યારે અમદાવાદ આખું ધ્રુજી ઉઠ્યું હતું. તે દરેક અમદાવાદી ક્યારેય ભૂલી નહી શકે. જોકે આ કેસમાં હવે 14 વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. જેમા એક સાથે કુલ 38 દોષીતોને ફાંસીની સજા ફટકારાવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 1 થી 18 નંબરના દોષીતોને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું છે. સાથેજ 27,28,31 નંબરના દોષીતોને ફાંસીની સજા એલાન કરવામાં આવ્યું સાથેજ 36 થી 40 અને 42,44,45,47,49,50,60,63,69,70,75,78 નંબરના દોષીતોને ફાંસીની સજાનુ એલાન