બોલીવૂડના દિગ્ગજ એક્ટર રણધીર કપૂરનો ગુરુવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ તેમને મુંબઇના કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હવે ખબર સામે આવી રહી છે કે તેમને ટેસ્ટ માટે આઇસીયુમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમણે પોતે હેલ્થ અપડેટ આપી છે.
ચિંતાની વાત નથી
જાણકારી અનુસાર ઇટાઇમ્સને હેલ્થ અપડેટ આપતા રણધીર કપૂરે ઉલ્લેખ કર્યો છે કે તેમને આગળ ટેસ્ટ માટે આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે તે સારુ અનુભવી રહ્યાં છે અને ચિંતા કરવાની કોઇ વાત નથી.
5 સ્ટાફ મેમ્બર પણ પોઝીટીવ
રણધીર કપૂરે જણાવ્યું કે તેમના પોઝીટીવ આવ્યા બાદ તે હેરાન થઇ ગયા છે અને બાદમાં તેમને જાણ થઇ કે 5 સ્ટાફ મેમ્બર પણ પોઝીટીવ આવ્યા છે. શોમેજ રાજ કપૂરના સૌથી મોટા દિકરા રણધીરે કહ્યું કે તે પોતાના સ્ટાફ સદસ્યોને તે જ હોસ્પિટલમાં ઇલાજ અપાવી રહ્યાં છે.
ટીના અંબાણીને કહ્યું આભાર
તેમણે કહ્યું કે મને થોડા ટેસ્ટ માટે આઇસીયુમાં ટ્રાંસફર કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ મારી સારી દેખરેખ કરે છે અને હું ટીના અંબાણીનો ધન્યવાદ કરુ છુ. બધુ નિયંત્રણમાં છે. ડૉક્ટર્સ હંમેશા આસપાસ જ રહેતા હોય છે.
થોડો તાવ હતો
તેમણે કહ્યું કે તે ઓક્સિજનના સ્તરમાં કોઇ કમી મહેસુસ નથી કરી રહ્યાં પરંતુ થોડો તાવ હતો. તેમણે કહ્યું, મે ધ્રુજતા અનુભવ્યુ અને નિર્ણય કર્યો કે સુરક્ષિત રહેવું જ યોગ્ય છે. માટે મે ટેસ્ટ કરાવ્યો અને તે પોઝીટીવ આવ્યો. મને કોઇ મોટી સમસ્યા નથી, થોડો તાવ હતો પણ હવે તે પણ નથી.