કોંગ્રેસ અધ્યક્ષ સોનિય ગાંધીએ જયરામ રમેશને આ જવાબદારી સોંપી
પાર્ટી અધ્યક્ષનો આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ થઇ ગયો છે
કોંગ્રેસ સંગઠન પ્રભારી અને પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરાયેલા પત્રમાં કહેવાયું છે કે અધ્યક્ષ સોનિયા ગાંધીએ તાત્કાલિક અસરથી આ ફેરફારના આદેશ આપ્યા છે. પાર્ટીએ આ નિર્ણય ત્યારે લીધો છે જ્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ઈડીની પૂછપરછ ચાલી રહી છે. તેમનાથી 3 દિવસની પૂછપરછ ચાલી અને શુક્રવારે ફરી ઈડી પાસે હાજર થવાનું છે.
ઉદયપુર ચિંતન શિબિર હેઠળ લેવાયો નિર્ણય
વેણુગોપાલના હસ્તાક્ષરવાળા આ પત્રમાં કહેવામાં આવ્યું છે, આદરણીય કોંગ્રેસ અધ્યક્ષે જયરામ રમેશને તાત્કાલિક અસરથી કોમ્યુનિકેશન, પબ્લિસિટી અને મીડિયા(સોશિયલ અને ડિઝિટલ મીડીયા સહિત)ના પ્રભારી મહાસચિવ બનાવાયા છે.
આ પત્રની બીજી લાઇનમાં કહેવામાં આવ્યું છે કે, અધ્યક્ષે રણદીપ સુરજેવાલાને કોમ્યૂનિકેશનના પ્રભારી મહાસચિવની જવાબદારીથી મુક્ત કરી દીધા છે. તેઓ કર્ણાટકના પ્રભારી મહાસચિવ બનેલા રહેશે. ઉદયપુર ચિંતન શિબિરના નવા સંકલ્પના આધાર પર કોંગ્રેસ પોતાના સંચાર અને મીડિયા વિભાગની કાયાકલ્પ કરી રહી છે. હવે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા વિભાગ પણ સંચાર અને મીડિયા વિભાગ હેઠળ આવશે.
રાજ્યસભા પહોંચી ગયા છે રણદીપ સુરજેવાલા
મહત્વનું છે કે, હરિયાણાથી આવનારા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા હાલમાં જ થયેલી રાજ્યસભા ચૂંટણીમાં જીત મેળવી છે અને તેઓ સંસદના ઉચ્ચ સદન પહોંચી ગયા છે. આ સમયે કોંગ્રેસ પાર્ટી નેશનલ હેરાલ્ડ કેસમાં પોતાના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે. આ મામલે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ ઈડીએ સમન્સ મોકલ્યું હતું. જોકે, તેઓ કોવિડ-19 મહામારીની ઝપેડમાં આવી ગયા છે અને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.