દલબીરના મૃત્યુ પછી એમની ઈચ્છાને પૂર્ણ કરતા રણદીપ હુડ્ડા રવિવારે તેમનાં અંતિમ સંસ્કારમાં શામેલ થયા હતા. એ સમયે રણદીપ હુડ્ડાએ માત્ર દલબીરની અર્થીને ખભો જ નહીં પણ અગ્નિદાહ પણ આપ્યું હતું.
ફિલ્મમાં સરબજીત સિંહનો અભિનય રણદીપ હુડ્ડા દ્વારા નિભાવવામાં આવ્યો હતો
દલબીર કૌરે રણદીપને તેનો ભાઈ માની લીધો હતો.
રણદીપ હુડ્ડાએ માત્ર દલબીરની અર્થીને ખભો જ નહીં પણ અગ્નિદાહ પણ આપ્યું હતું.
જાસૂસી કરવાના આરપોમાં પાકિસ્તાનની જેલમાં માર્યા ગયા એક ભારતીય નાગરિક સરબજીત સિંહની બહેન દલબીર કૌરને હાર્ટઅટેક આવવાને કારણે રવિવારે એમનું મૃત્યુ થયું હતું. દલબીર કૌરના મૃત્યુના સમાચાર સાંભળ્યાની સાથે જ અભિનેતા રણદીપ હુડ્ડા એમના અંતિમ સંસ્કાર કરવા માટે મુંબઈથી નીકળી પડ્યા હતા. દલબીર કૌરે અને તેમના ભાઈ સરબજીત સિંહની કહાની પર બૉલીવુડમાં એક ફિલ્મ પણ બની છે. એ ફિલ્મમાં સરબજીત સિંહનો અભિનય રણદીપ હુડ્ડા દ્વારા નિભાવવામાં આવ્યો હતો અને એ સમયે દલબીર કૌરે રણદીપને તેનો ભાઈ માની લીધો હતો.
રણદીપ હુડ્ડા અને દલબીર કૌર વચ્ચે સારા સબંધો બંધાઈ ગયા હતા. બંને વચ્ચે ભાઈ-બહેનનો એવો જ પવિત્ર સંબંધ બંધાઈ ગયો હતો અને એ ફિલ્મ રિલિઝ થયા પછી સરબજીતની બહેન દલબીર કૌરે એવી ઈચ્છા જણાવી હતી કે એમની મૃત્યુ પછી રણદીપ હુડ્ડા તેના ભાઈની જગ્યા લે અને એમને મૃત્યુ બાદ એમને ખભો અને અગ્નિદાહ આપે. આ વાત દલબીર કૌરે તેમના ભાઈની પુણ્યતિથી પર કહી હતી. એમને કહ્યું હતું કે ' મારી ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી રણદીપ હુડ્ડા મને ખભો ને અગ્નિદાહ આપે. આવું કરવાથી મારી આત્માને શાંતિ મળશે. હું ખુશ છું કે રણદીપ તરીકે મને મારો ભાઈ પાછો મળી ગયો.' દલબીરના મૃત્યુ પછી એમની ઈચ્છાને પૂર્ણ કરતા રણદીપ હુડ્ડા રવિવારે તેમનાં અંતિમ સંસ્કારમાં શામેલ થયા હતા. એ સમયે રણદીપ હુડ્ડાએ માત્ર દલબીરની અર્થીને ખભો જ નહીં પણ અગ્નિદાહ પણ આપ્યું હતું.
દલબીર કૌરે તેના ભાઈને જેલમાંથી છોડાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા અને તેમના પ્રયાસની ગુંજ ભારતથી લઈને પાકિસ્તાન સુધી પંહોચી હતી. આટલા સખત પ્રયાસો પછી અંતે એમને જીત મળી ગઈ હતી પણ વર્ષ 2013માં જયારે તેમનાં ભાઈને પાકિસ્તાનથી રિહા કરવામાં આવવાના હતા એ જ સમયે લાહોર જેલમાં સરબજીત પર કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાની આડમાં હત્યા કરી દેવામાં આવી હતી. સરબજીતે કોર્ટમાં તેની પેશી પર કહ્યું હતું કે પોતે એક ખેડૂત છે અને એ બોર્ડર પાસે જ રહે છે. એમના મત મુજબ તેઓ ભૂલથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને એ પછી ત્યાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને પછી ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
વર્ષ 1990માં પંજાબના સામાન્ય ઘરના ખેડૂત સરબજીત સિંહ નશામાં ધુત થઈને બોર્ડર પાર કરીને ભૂલથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. એ સમયે પાકિસ્તાન પોલીસે તેમને બમ-ધમાકાના આરોપી સાબિત કરીને ધરપકડ કરી લીધી હતી. પાકિસ્તાન પોલીસનું કહેવું એમ હતું કે સરબજીત ભારતનો જાસુસ છે અને પાકિસ્તાનમાં જાસુસી કરવા માટે આવ્યો હતો. આવાં આરોપોને કારણે પાકિસ્તાન સરકારે તેને ફાંસીની સજા સંભળાવી હતી.