વીર સાવરકર જયંતીનાં અવસર પર અભિનેતા રણદીપ હુડ્ડાએ વીર સાવરકરનાં પાત્રમાં પોતાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. જાણો વિગતવાર
વીર સાવરકરનાં પાત્રમાં જોવા મળશે રણદીપ હુડ્ડા
ફર્સ્ટ લૂક કર્યો સોશિયલ મીડિયા પર શેર
મહેશ માંજરેકરનાં ડાયરેકશનમાં બનશે ફિલ્મ
વીર સાવરકરનાં પાત્રમાં જોવા મળશે રણદીપ હુડ્ડા
સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરની 139મી જયંતીનાં અવસર પર ફિલ્મનાં નિર્માતાઓએ રણદીપ હુડ્ડાનો પહેલો લૂક જાહેર કર્યો છે. આ પોસ્ટમાં લખ્યું છે કે 'હિન્દુત્વ ધર્મ નથી, ઈતિહાસ છે.' જણાવી દઈએ કે મહેશ માંજરેકરની અપકમિંગ બાયોપિકમાં અભિનેતા રણદીપ હુડ્ડા રાજનેતા, કાર્યકર્તા અને લેખક વિનાયક દામોદર સાવરકરનાં પાત્રમાં જોવા મળશે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ વર્ષના ઓગસ્ટ મહિનામાં ફિલ્મનું શુટિંગ શરુ થઇ શકે છે.
આ પોસ્ટરને જાહેર કરતા ડાયરેક્ટર મહેશ માંજરેકરે કહ્યું કે રણદીપ હુડ્ડાને સ્વતંત્રતા સેનાની વીર સાવરકરનાં રૂપમાં પ્રસ્તુત કરતા, તમને સૌને વીર સાવરકર જયંતીની હાર્દિક શુભેચ્છાઓ. સાવરકર માટે લોકોના મનમાં અલગ અલગ વિચારો હોય શકે છે, પરંતુ એક ફિલ્મ નિર્માતાનાં રૂપમાં, હું તે જ વિચારોને સમજવાની કોશિશ કરી રહ્યો છું, જે સાવરકર પાસે હતો. તો ફિલ્મની સ્ટોરી અને કેરેક્ટર પર આનાથી કોઈ ફેર નહીં પડે કે વાસ્તવમાં સાવરકર શું હતા, શું છે અને શું હશે? તેઓ સ્વતંત્રતા સેનાની હતા અને તેમને ભૂલી ન શકાય.
રણદીપ હુડ્ડાએ પોતાનો લુક રીવીલ કરતા લખ્યું કે આ સ્વતંત્રતા અને આત્મ સાક્ષાત્કાર માટે ભારતનાં સંઘર્ષનાં ગુમનામ નાયકોમાંના એકને સલામ છે. મને આશા છે કે હું એક સાચા ક્રાંતિકારીનાં પાત્રને ભજવી શકીશ અને તેમની સાચી સ્ટોરી સૌને જણાવી શકીશ, જે આટલા લાંબા સમય સુધી દબાવી દેવામાં આવી હતી...તમને સૌને વીર સાવરકર જયંતીની હાર્દિક શુભેચ્છાઓ.
જણાવી દઈએ કે વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883માં મહારાષ્ટ્રનાં નાસિક જીલ્લામાં ભાગૂર ગામમાં થયો હતો. હિંદુ મહાસભા, એક હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન અને એક રાજનીતિક દળનાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંથી તેઓ એક હતા. તેમનું નિધન 26 ફેબ્રુઆરી, 1966નાં રોજ બોમ્બેમાં થયું હતું.