સમયસર સારવાર ન થવાથી બ્લેક ફંગસ શરીરમાં ફેલાઈ જાય છે
બ્લેક ફંગસ સ્પર્શથી ફેલાતો નથી
રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે કોરોના કરતા બ્લેક ફંગસનો મૃત્યુ દર ઘણો વધારે છે. તેમણે કહ્યું કે બ્લેક ફંગસ ચેપી નથી એટલે કે તે સ્પર્શથી ફેલાતો નથી.
બ્લેક ફંગસનું કેવી રીતે નિદાન કરવું
ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે જેમને પણ ડાયાબિટીસની બીમારી છે તેમણે સતત સુગર ચેક કરતા રહેવું જોઈએ. જો તમે કોવિડ પોઝિટીવ હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે સ્ટેરોઈડ લેવા જોઈએ.
બ્લેક ફંગસથી કેટલી સાવધાની રાખવી
ગુલેરિયાએ જણાવ્યું કે જો સમય પર બ્લેક ફંગસના દર્દીઓને સારવાર ન મળે તો તે શરીરમાં ફેલાઈ જાય છે. કોરોના કરતા બ્લેક ફંગસનો મૃત્યુદર ઘણો વધારે છે. બીજી લહેરમાં ડરને કારણએ લોકોએ વધારે સ્ટેરોયડ લઈ લીધા. આને કારણે દેશમાં બ્લેક ફંગસના કેસો વધ્યાં છે.
સ્પર્શથી ફેલાય છે બ્લેક ફંગસ ?
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે બ્લેક ફંગસ સ્પર્શથી ફેલાતી બીમારી નથી. એટલે કે તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતી નથી. પરંતુ આ બીમારીમાંથી સાજા થવામાં સમય લાગી શકે છે. જ્યારે કોરોનાની સારવારમાં આટલો બધો સમય લાગતો નથી.
સિલન્ડરમાંથી સીધો ઠંડો ઓક્સિજન લેવો દર્દીઓ માટે ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે
તેમણે કહ્યું કે બ્લેક ફંગસ થવા પાછળના મુખ્ય કારણ અનિયંત્રિત ડાયાબિટીસ, સારવાર દરમિયાન ટોસિલિઝુમેબની સાથે સ્ટેરોઈડનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો. વેન્ટિલેશન પર રહેનાર દર્દી અને સપ્લીમેન્ટ ઓક્સિજન લેવા તે છે. કોરોનાની સારવારના છ અઠવાડિયાની અંદર જો આમાના કોઈ કારણ હોય તો દર્દીને બ્લેક ફંગસ થવાનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે. તેમણે એવી પણ ચેતવણી આપી કે સિલન્ડરમાંથી સીધો ઠંડો ઓક્સિજન લેવો દર્દીઓ માટે ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે.
2-3 અઠવાડિયા માટે માસ્કનો ઉપયોગ કરવો પણ બ્લેક ફંગસને આમંત્રણ આપવા જેવું
ડો.ચંદ્રાએ જણાવ્યં કે 2-3 અઠવાડિયા માટે માસ્કનો ઉપયોગ કરવો પણ બ્લેક ફંગસને આમંત્રણ આપવા જેવું છે. આ પ્રકારની ઘટનાઓ ઓછી કરવા માટે વધારે જોખમ વાળા લોકોને એન્ટી ફંગલ દવા પોસકોનાઝોલ આપી શકાય છે.