તિરંગો લહેરાતા જોઈને દરેક દેશવાસીનું માથું ગર્વથી ઊંચુ થયા વગર નહી રહે. સામાન્ય રીતે આ તિરંગો આપણને સરકારી ઓફિસ, સ્કૂલ જેવી ઇમારતો પર જ દેખાય છે. પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર છે જેના પર ભગવાનની સાથે સાથે તિરંગો પણ લહેરાય છે.
આ મંદિર ઝારખંડની રાજધાની રાંચીમાં આવ્યુ છે જેને લોકો પહાડી મંદિર તરીકે ઓળખે છે.
આ મંદિર અંગે કહેવાય છે કે અહીં અંગ્રેજોના સમયમાં સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવતી હતી. પરંતુ દેશને આઝાદી મળી કે રાંચીમાં સૌથી પહેલા ઝંડો પણ આ જ જગ્યાએ લહેરાવવામાં આવ્યો હતો. ત્યારથી અહીંય તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
ભગવાન શિવના આ મંદિરને પહાડી મંદિર નામથી ઓળખવામાં આવે છે. આ પહેલા નામ ટિરીબુરુ હતુ. પરંતુ અંગ્રેજોના સમયમાં આ જગ્યા ફાંસી ગરી કહેવાતી.
અહીં લોકો ભગવાન નહીં પરંતુ શહીદોના માનમાં મસ્તક નમાવે છે. આ મંદિરમાં એક પથ્થર છે જેના પર 14-15 ઓગસ્ટની રાતે આઝાદીનો સંદેશો લખવામાં આવ્યો છે.
આ મંદિર દરિયાઈ સપાટીથી 2140 ફૂટ ઊંચાઈએ આવ્યું છે. જ્યારે જમીનથી તેની ઊંચાઈ 350 ફૂટ છે. મંદિર સુધી પહોંચવા માટે 468 સીડીઓ ચઢવી પડે છે.
રાંચી નાગ દેવતાનું નગર હોવાનું કહેવાય છે. અહીંની મૂળ રહેવાસી આદિવાસીઓના કુળ દેવતા પણ તે જ છે. એટલે આ મંદિરે આવતા શ્રદ્ઘાળુ પહેલા નાગ દેવતા મંદિરમાં પૂજા કરે છે પછી ભગવાન શંકરની પૂજા કરે છે.