નવી દિલ્હીઃ ઘાસચારા કૌભાંડના દોષિત લાલુ પ્રસાદ યાદવને કોર્ટે સજા સંભળાવી છે. લાલુ પ્રસાદ પોતાના 6 અઠવાડિયાથી જામીન પર હતા. આજે લાલુ યાદવના જામીનની મુદ્દત વધારવાના મામલે હાઈકોર્ટમા સુનાવણી હાથ ધરાશે. આજે રાંચીની હાઈકોર્ટમાં લાલુના જામીન વધારવા માટે સુનાવણી હાથ ધરાશે.
મહત્વનુ છે કે 23 ડિસેમ્બરના રોજ ઘાસ ચારા કૌભાંડ મામલે કોર્ટે સજા સંભળાવી હતી. તબિયત ખરાબ હોવાના કારણે હાઈકોર્ટે લાલુને 6 અઠવાડિયાના જામીન આપ્યા હતા. સાથે જ પટણાના ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાઈન્સેસના રિપોર્ટના આધારે મેડિકલ ટ્રીટમેન્ટ માટે મુંબઈ જવાની પરમિશન પણ આપી હતી.
આ પહેલા લાલુ પોતાના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્નમાં ભાગ લેવા માટે ત્રણ દિવસના પેરોલ પર પટણામાં હતા.