આલિયા ભટ્ટ સાથે લગ્ન પહેલા રણબીર કપૂરનાં જીવનના અમુક રહસ્યો બહાર આવ્યા છે. જાણો શું છે રણબીરનાં જીવનના રહસ્યો
રણબીર કપૂરે ખોલ્યા પોતાના જીવનના રહસ્ય
15 વર્ષની ઉંમરમાં ખોઈ બેસ્યા હતા વર્જિનિટી
સિગારેટની પણ છે લત
લગ્ન પહેલા રણબીર કપૂરે ખોલ્યા પોતાના જીવનના રહસ્ય
ચારેય બાજુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નની ચર્ચાઓ છે. કપૂર પરિવારની આ પેઢીનાં આ છેલ્લા લગ્ન છે એટલા માટે ગ્રાંડ વેડિંગની તૈયારીઓ થઇ રહી છે. જોકે રણબીરે પોતાના લગ્નની તારીખ મીડિયા સાથે શેર કરી નથી. અભિનેતા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને વધારે વાતચીત કરવી પસંદ નથી. પરંતુ છતાં પણ તેઓ ક્યારેક ક્યારેક પોતાના નિવેદનોને લઈને વિવાદમાં ફસાઈ જાય છે.
15 વર્ષની ઉંમરમાં ખોઈ બેસ્યા હતા વર્જિનિટી
મીડિયા અસાથે વાતચીત ન કરતા રણબીર પોતાના જીવનને લઈને ઘણી વાર ચોંકાવનાર ખુલાસાઓ પણ કરી દે છે. અભિનેતાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ 15 વર્ષના હતા ત્યારે તેમણે પોતાની વર્જિનિટી ગુમાવી હતી.
સિગારેટની પણ છે લત
રણબીર કપૂરે જણાવ્યું હતું કે તેઓ જ્યારે 15 વર્ષના હતા ત્યારથી તેને નિકોટીનની લત લાગી ગઈ હતી. એટલું જ નહી, તેમણે એ પણ જણાવ્યું કે તેમને સિગારેટ પીવાની ખરાબ લત છે. તેમણે ચાર મહિના માટે સિગારેટ છોડી દીધી હતી પરંતુ ફરી તેઓ પીવા લાગ્યા.
પહેલા તોડી ચુક્યા છે ઘણી છોકરીઓના દિલ
આલિયાને મળ્યા પહેલા રણબીર કપૂર ઘણી છોકરીઓનાં દિલ તોડી ચુક્યા છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં દગો આપ્યાની વાત પણ સ્વીકારી હતી. દીપિકા પાદુકોણ સાથે રિલેશનશિપમાં તેઓ દીપિકાને ચીટ કરી રહ્યા હતા, જ્યાર બાદ તેમનો બ્રેકઅપ થઇ ગયો હતો. રણબીરે જણાવ્યું કે તેમણે અપરિપક્વતા, અનુભવહિનતા અને પ્રલોભનોને કારણે આવું કર્યું હતું.
માતા પિતા વિષે જુઓ શું કહ્યું
રણબીર કપૂરે પોતાની માતા નીતૂ કપૂર અને પિતા રિશી કપૂરને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે તેમના પેરેન્ટ્સનાં સંબંધો સારા હતા નહી. બંને વચ્ચે ઘણા ઝઘડાઓ થતા હતા. હું ગોઠણ વચ્ચે માથું રાખીને બેસી રહેતો હતો અને વિચારતો હતો કે ક્યારે આ પૂરું થશે. આ બંને વચ્ચે હું ફસાઈ ગયો હતો. રણબીરે એ પણ જણાવ્યું કે મા એ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે આ મને પ્રભાવિત ન કરે અને એટલા માટે તે મારી સાથે ખુલીને વાત કરતી હતી.
હાલમાં જ રણબીર કપૂરે પોતાના અંકલ રણધીર કપૂરને લઈને એક નિવેદન આપ્યું હતું. જ્યાર બાદથી તેઓ વિવાદમાં ફસાઈ ગયા. એક્ટરે જણાવ્યું હતું કે તેમના અંકલ રણધીર કપૂર આજકાલ ડિમેન્શિયા નામની બીમારીથી ઝઝૂમી રહ્યા છે, પરંતુ રણધીર કપૂરે ભત્રીજાને ખોટો જણાવતા કહ્યું કે તેઓ એકદમ ઠીક છે. તેમણે કોઈ બીમારી નથી.