સંજય દત્તની બાયોપિક ફિલ્મ 'સંજૂ' હજી પણ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. લોકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે અને ફેન્સ હવે રીલ અને રિયલ લાઈફ સંજૂ એટલે કે રણબીર કપૂર અને સંજય દત્તને પડદા પર એકસાથે જોવા ઉત્સુક છે. જો તમે પણ ઇચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે.
એવુ જાણવા મળી રહ્યું છે કે સંજય દત્ત અને રણબીર કપૂર એક ફિલ્મમાં સાથે કામ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે બન્ને એક્ટર રાજકુમાર હિરાનીની જ એક ફિલ્મમાં સાથે કામ કરશે અને આ ફિલ્મ હશે 'મુન્નાભાઇ'ની સિક્વલ. રાજકુમાર હિરાનીએ એક નજીકના સૂત્રોઓએ આ જણાવ્યું છે. સંજૂમાં આપણે રણબીરને મુન્ના ભાઈના રોલમાં તો જોઈ લીધો હવે સર્કિટના રોલમાં જોવા મળી શકે છે.
સૂત્રના જણાવ્યા અનુસાર હિરાની ફિલ્મમાં રણબીરને સર્કિટના રોલ માટે સાઈન કરવા માંગે છે.ઉલ્લેખનીય છે કે આ પહેલાની 2 ફિલ્મમાં સર્કિટનો રોલ અરશદ વારસીએ કર્યો હતો. સૂત્રના જણાવ્યા અનુસાર સંજૂમાં રણબીરના પર્ફોમન્સથી લોકો ઘણાં ઈમ્પ્રેસ છે. ફિલ્મ મેકર્સને લાગે છે કે સંજય અને રણબીરની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ઘણી સારી લાગશે. જો કે હજી આ રિપોર્ટ મેકર્સ અથવા એક્ટર્સે કન્ફર્મ નથી કરી.