ઘણી વખત તમે સાંભળ્યું હશે કે પ્રેમમાં વ્યકિત બધું જ ભૂલી જાય છે અને જોકે અત્યારે આ લાઇન બોલિવુડના એક્ટર રણબીર કપૂર માટે એકદમ પરફેક્ટ છે. તાજેતરમાં જ રણબીર કપૂરે આ વાતનો સ્વીકાર કરતા કહ્યુ કે આલિયાની સાથે તેનો સંબંધ ખાસ છે. આ વચ્ચે રણબીરે એક ઇન્ટરવ્યુ દરમિયાન ખાસ વાત કહી જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.
રણબીરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે ''કોઇને પ્રેમ થઇ જાય એ દુનિયાનો સૌથી સારો અહેસાસ છે. જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે બધું જ સારું લાગે છે ત્યાં સુધી કે પાણી પણ શરબત જેવું લાગે છે. ખરાં અર્થે પ્રેમ કરીને હું એક સારો વ્યકિત બન્યો છું. પ્રેમ તમારી જિંદગીને વધારે સુંદર બનાવી દે છે.''
આલિયા ભટ્ટ માટે રણબીર કપૂરે ઘણી વખત વાત કરી છે જેના પરથી લાગી રહ્યુ છે કે આગામી સમયમાં આ બંને લગ્નનાં બંધનમાં જોડાઇ શકે છે. જોકે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ લવબર્ડ 2020માં લગ્ન કરી શકે છે.
બોલિવુડની એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહૂજાની રિસેપ્શન પાર્ટીમાં આ બંને એકસાથે હાથમાં હાથ નાખીને જોવા મળ્યા હતા ત્યારથી સોશ્યલ મીડિયા પર આ બંને અફેરની ચર્ચા ચાલી રહી છે. જોકે રણબીરે પોતાની અપકમિંગ ફિલ્મ 'સંજૂ'ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં આલિયા સાથેના રિલેશનશિપને લઇને પણ વાત કરી હતી. હાલમાં આ બંને તેમની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માશસ્ત્ર'નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યો છે. જ્યારે આ ફિલ્મમાં રણબીર-આલિયા સિવાય બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.