રણબીર કપૂરે ચપ્પલ ચોરી કરવાનાં રિવાજ માટે આલિયા ભટ્ટની બહેનપણીઓને 12 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, જેની તસવીર વાયરલ થઇ રહી છે.
હાલમાં જ થયા આલિયા-રણબીરનાં લગ્ન
રણબીરે આલિયાની બહેનપણીઓને આપ્યું હતું વચન
12 લાખ રૂપિયા આપવાનું રણબીરનું પ્રોમિસ
હાલમાં જ થયા આલિયા-રણબીરનાં લગ્ન
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને ઘણા દિવસો થઇ ગયા છે, પરંતુ હજુ પણ આ લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. દિવસેને દિવસે કપલનાં લગ્ન સાથે જોડાયેલ કોઈ સમાચાર સામે આવી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે રણબીર કપૂરે પત્ની આલિયાની બહેનપણીઓને લગ્નના દિવસે એક મોટું પ્રોમિસ કર્યું હતું. આ પ્રોમિસ શું હતું એ વિષે જાણીને તમે કહેશો કે રણબીરનું ઘણું નુકસાન થઇ ગયું છે.
રણબીરે આલિયાની બહેનપણીઓને આપ્યું હતું પ્રોમિસ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્નમાં કપૂર અને ભટ્ટ પરિવારે હાજરી આપી હતી. આ ઉપરાંત, બંનેનાં મિત્રો પણ લગ્નમાં પહોંચ્યા હતા. સમાચારો આવ્યા હતા ચપ્પલ ચોરી કરવાનાં રિવાજમાં આલિયા ભટ્ટની બહેનપણીઓએ જીજાજી રણબીર પાસેથી 11.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે તેમણે સાળીઓને 1 લાખ રૂપિયા આપીને મામલો નીપટાવી નાંખ્યો હતો. હવે લગ્નથી મળેલા લેટેસ્ટ ફોટો અનુસાર, રણબીર કપૂરને સાળીઓઈટલી સરળતાથી છોડ્યો ન હતો.
લગ્નથી આવેલાલેટેસ્ટ ફોટોમાં રણબીર કપૂરને સાળીઓ સાથે જોઈ શકાય છે. આ ફોટોમાં હસતા રણબીરનાં હાથમાં એક પેપર પણ છે. આ પેપર પર રણબીર કપૂરે લખ્યું છે કે હું રણબીર, આલિયાનો પતિ વચન આપું છું કે તેની બધી બહેનપણીઓને 12 લાખ રૂપિયા આપીશ. લાગે છે કે આ પેપર સાથે રણબીરનો ફોટો લઈને આલિયાનાં મિત્રોએ ડીલ પાક્કી કરી છે. સાથે જ આ ફોટો સાબિતી તરીકે લેવામાં આવ્યો છે,જેથી રણબીર પોતાની વાતથી ફરી ન જાય. આમ તો એક્ટર પણ સાળીઓ વચ્ચે ફસાઈ ગયો છે.
યૂઝર્સનાં રિએક્શન
આ ફોટો જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ રણબીર કપૂરની મજાક ઉડાવી રહ્યા છે. એક યૂઝર લખે છે કે ઘણું નુકસાન થઇ ગયું. બીજાએ લખ્યું કે અમારે ત્યાં 12 લાખમાં તો આખા લગ્ન થઇ જાય છે. એક અન્ય યૂઝરનું કહેવું છે કે લગ્ન માટે આવી છે કે વસૂલી માટે.
રણબીર અને આલિયાનાં લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા. લગ્નને તેમના ઘર વાસ્તુમાં આયોજિત કરવામાં આવ્યા હતા. આમાં પરિવારની સાથે સાથે ઘણા નજીકના મિત્રો પણ સામેલ થયા હતા. લગ્નનાં ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પ્રોડ્યુસર કારણ જોહર પણ આ લગ્નમાં પહોંચ્યા હતા. તેઓ આલિયા ભટ્ટને પોતાની દીકરી માને છે. આવામાં કારણે જણાવ્યું હતું કે ક્યા પ્રકારે આલિયાની મહેંદીનાં દિવસે તેમણે પોતાના હાથમાં પણ મહેંદી મુકાવી હતી. જોકે પછી આખા ચહેરા પર મહેંદી લાગી ગઈ હતી.