મીડિયા સાથેની વાતચીતમાં રણબીરે કહ્યું હતું કે 'અંતમાં માત્ર ફિલ્મનું કન્ટેન્ટ મહત્વ ધરાવે છે.જો તમે સારી ફિલ્મ આપો...સારું કન્ટેન્ટ આપો તો લોકોનું મનોરંજન થાય જ છે. '
ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
અંતમાં માત્ર ફિલ્મનું કન્ટેન્ટ મહત્વ ધરાવે છે. - રણબીર
ફિલ્મ 'શમશેરા' બોક્સ ઓફિસ પર ન ચાલી કારણ કે દર્શકોને ફિલ્મ પસંદ ન હતી આવી
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોય રહ્યા હતા પણ સાથે જ ફિલ્મને લઈને નકારાત્મક ચર્ચા પણ ચાલી રહી હતી. હજુ પણ ઘણા લોકો ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોયકોટકરવા માટે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે.
બૉયકોટ ટ્રેન્ડ પર બોલ્યો રણબીર
બ્રહ્માસ્ત્રના લીડ એક્ટર રણબીર કપૂરે હવે ફિલ્મને લઈને ચાલી રહેલા નેગેટિવ અને બૉયકોટના ટ્રેન્ડ વિશે વાત કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં રણબીરે કહ્યું હતું કે 'અંતમાં માત્ર ફિલ્મનું કન્ટેન્ટ મહત્વ ધરાવે છે. હું મારું પોતાનું જ ઉદાહરણ આપું તો થોડા અઠવાડિયા પહેલા મારી ફિલ્મ 'શમશેરા' રીલિઝ થઈ હતી. તે સમયે મને કોઈ નેગેટિવિટી મહેસુસ નહતી થઈ કે કોઈ ખાસ્સો ટ્રેન્ડ પણ નહતો ચાલ્યો, તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ન ચાલી કારણ કે દર્શકોને ફિલ્મ પસંદ ન હતી આવી. એટલે જ અંતમાં માત્ર ફિલ્મનું કન્ટેન્ટ મહત્વ ધરાવે છે.જો તમે સારી ફિલ્મ આપો...સારું કન્ટેન્ટ આપો તો લોકોનું મનોરંજન થાય જ છે. '
આગળ વાત કરતાં એમને કહ્યું હતું કે, 'ફિલ્મો જોવી, કઇંક નવું એક્સપિરિયન્સ કરવું, લાગણીઓ અનુભવી અને મનોરંજન થવું કોને નથી ગમતું? ફિલ્મોના ઈમોશનલ ટચથી હસવું અને રડવું કોણ નથી ઈચ્છતું. જો કોઈ ફિલ્મ નથી ચાલતી, તો તેનો અર્થ એ છે કે તેનું કન્ટેન્ટ સારું નથી.'
શા માટે ખાસ છે બ્રહ્માસ્ત્ર ?
બ્રહ્માસ્ત્રને 2022ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. રણબીર અને આલિયા માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ છે, કારણ કે બંને પહેલીવાર એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. સિલ્વર સ્ક્રીન પર રણબીર અને આલિયાની કેમેસ્ટ્રી જોવા માટે ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. અયાન મુખર્જીની ફિલ્મને લઈને બૉયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પણ ઘણા લોકો ફિલ્મ જોવા માટે ઘણા ઉત્સુક છે.