બોલીવૂડના લવબર્ડ્સ રણબીર અને આલિયાના લગ્નની ફેન્સ ઘણા સમયથી રાહ જોવે છે. ત્યારે રણબીરે જાહેરમાં જ આલિયાને પૂછી લીધું કે આપણા લગ્ન ક્યારે થશે?
રણબીર-આલિયાના લગ્ન ક્યારે?
ચાલુ ઇવેન્ટમાં રણબીરે આલિયાને પૂછ્યું
અયાન મુખર્જીએ આપી દીધો જવાબ
બુધવારે બ્રહ્માસ્ત્રના મોશન પોસ્ટર લૉન્ચ દરમિયાન રણબીરે મીડિયા સામે આલિયાને પૂછી લીધું કે તેમના લગ્ન ક્યારે થશે? એક્ટ્રેસે પણ તેનો જવાબ આપ્યો હતો.
આલિયાએ શું આપ્યો જવાબ?
ઇવેન્ટમાં રણબીર કપૂરે ઓડિયન્સનો સવાલ વાંચ્યો જેમાં લખ્યું હતું કે તમે આલિયા કે કોઇ અન્ય સાથે ક્યારે લગ્ન કરશો? રણબીરે કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં આપણે ઘણા કપલને લગ્ન કરતા જોયા છે ને આપણે ખુશ થવું જોઇએ. બાદમાં તેણે આલિયા સામે જોઇને પૂછ્યું આપણા લગ્ન ક્યારે થશે?
અયાન મુખર્જીએ આપ્યો જવાબ
આલિયાએ રણબીરને કહ્યું તું મને કેમ પૂછી રહ્યો છે ત્યારે અયાને કહ્યું કે હાલમાં તો આપણા માટે એક જ ડેટ કાફી છે તે છે બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટ. હવે થોડી રાહ જોઇ લઇએ.
છેલ્લા એક વર્ષથી આ કપલના લગ્નના સમાચાર હેડલાઇન્સમાં છે. જો કે હજુ સુધી બંનેએ તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અન્ય કપલની જેમ રણબીર અને આલિયા પણ મુંબઈની બહાર જઈને લગ્ન કરશે. પરંતુ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન આવતા વર્ષની શરૂઆતમાં થવાના છે. આ કપલ મુંબઈની બહાર નહીં જાય પરંતુ અહીં જ સાત ફેરા લેશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રણબીર અને આલિયાએ પોતાના પરિવારના સભ્યોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઇમાં જ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરશે.