આજના આધુનિક યુગમાં લોકો કમાવવા માટે નવા નવા પેતરા કરતા હોય છે. લોકો ખેતરમાં મોટા ભાગે ખેતી કરતા જોવા મળે છે શાકભાજી ડાંગર કેરી વગરેની ખેતીથી ખેતરો ભરાયેલા હોય છે. આ ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અનેક રોગોને આમંત્રણ આપી રહ્યાં છે. વાપી નજીક આવેલા રાતા ગામમાં આવેલી આંબાવાડીમાં કેરીના ઝાડની સાથે-સાથે દુર્લભ આયુર્વેદિક વેલાઓ જોવા મળી રહ્યા છે.
આ વાડીની દેખભાળ એક શિક્ષક દંપતી રાખી રહ્યા છે. વાપી પાસે આવેલા રાતા ગામમાં રહેતો પટેલ પરિવાર આયુર્વેદની જાળવણીમાં લાગ્યો છે. તેમને આ પ્રેરણા પોતાના પરિવારમાંથી જ મળી છે. તેમના માતા બિમાર હતા અને તેમના ઈલાજ માટે તેમણે મોટાભાગના ડોક્ટરોની મુલાકાત લીધી હતી. જો કે કોઈ નિવેડો નહિં આવતા તેઓ આયુર્વેદના શરણે ગયા હતા અને તેમની માતાને આયુર્વેદિક દવાથી ઘણો ફાયદો મળ્યો હતો અને તેઓ સાજા થયા હતા. બાદમાં આ દંપતી આયુર્વેદ તરફ આકર્ષાયા હતા. જે બાદમાં તેમને વનસ્પતિનું ખેતર ઉભું કરવાનો નિર્ધાર કર્યો હતો.
આ વાડીમાં કામ કરતા આ પટેલ દપંતી વ્યસાયે શિક્ષક છે. 8 કલાકની નોકરી અને હજારો રૂપિયાનો પગાર મેળવ્યા બાદ પણ આ દંપતી પોતાની વાડીમાં આયુર્વેદિક ઝાડ અને વેલાનું જતન કરવા લાગી જાય છે. લગભગ ૩૩૦ જુદી-જુદી આયુર્વેદિક વનસ્પતિઓ ધરાવતી આ વાડીમાં નવા-નવા છોડ સતત વધી રહ્યાં છે. આયુર્વેદિક દવાઓ જંગલમાં ઉગતી વનસ્પતિઓમાંથી મેળવાય છે. પરંતુ વિકાસના નામે જે રીતે જંગલનું આડેધડ નિકંદન કાઢી રહ્યા છે. જેના કારણે આવતા ટૂંક જ સમયમાં દુર્લભ જડીબુટ્ટી અને વનસ્પતિ માત્ર પુસ્તકોમાં જ રહી જશે. જેથી આવી જ વનસ્પતિનીઓનું જતન કરવા આ શિક્ષક દંપતીએ નિર્ધાર કર્યો છે. તેઓ અનેક પ્રકારની આવી વનસ્પતિઓનું જતન કરી રહ્યા છે.
આ વાડી વનસ્પતિનું જાણે મ્યુઝીયમ હોય તેમ લાગી રહ્યું છે. આ જગ્યાએ દરેક પ્રકારના રોગ માટેની વનસ્પતિનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેમાં કેન્સર અસ્થમા સોરાયસીસ જેવા જટીલ રોગની પણ દવા છે. છેલ્લા 2 દશકથી આયુર્વેદના જતન કરતા આ દંપતીનો દીકરો પણ આયુર્વદમાં માસ્ટર ડિગ્રી મેળવીને સ્થાનિકોની સારવાર કરી રહ્યો છે. વાપી પંથકના લોકો માટે કનુભાઈનું ખેતર વરદાન સાબિત થઇ રહ્યું છે. કેમ કે અહીં થતાં રોગનો ઈલાજ જળમૂળથી નાબુદ થઇ જાય છે. જો કે એટલુ જ નહિ પણ ડોક્ટરની દવાના માત્ર નજીવા ખર્ચમાં દર્દીને દવાઓ મળી જાય છે. આ વાડી થકી બનાવામાં આવતી દવા તાજી અને ભેળસેળ વગરની હોવાથી વધુ અસરકારક હોય છે.
એલોપેથી હોમિયોપેથીક જેવી દવાઓ સામે આયુર્વેદિક એક અલગ દવા છે. આદિકાળમાં આજ દવાઓનો ઉપયોગ થતો અને ભલભલા રોગ આ વનસ્પતિઓ મટાડી દેતી હતી. જોકે આજના આધુનિક જમાનામાં આ લોકો આયુર્વેદિક પર ઓછો વિશ્વાસ કરે છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વનસ્પતિ વિશે જાગૃતિ અને વનસ્પતિનું જતન કરી આયુર્વેદનું જતન કરતું આ શિક્ષક દંપતી આ ભગીરથ કાર્ય કરીને લોકોને અનેરુ ઉદાહરણ પુરુ પાડે છે.