રામપુરમાં આજે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ કાનની જૌહર યુનિવર્સિટી પર રેડ તેમજ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમની કરાયેલ પૂછપરછથી નારાજ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રામપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સમાજવાદી પાર્ટીના અંદાજે 10 હજાર કાર્યકર્તાઓ અહી એકઠા થશે.
રામપુરના ડીએમ એકે સિંહે જણાવ્યું છે કે આ વિસ્તારમાં કાંવર યાત્રા અને બકરી ઇદને ધ્યાનમાં લઇને ધારા 144 પહેલાથી જ લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે આ વિસ્તારમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. અમે કોઇપણને આ વિસ્તારમાં પ્રવેશ કરવા દઇશું નહીં.
જો કોઇપણ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી રામપુરની સરહદ સીલ કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસની ભારે માત્રામાં તૈનાતી કરી દેવામાં આવી છે.
સમાજવાદી પાર્ટીએ સરકાર પર આઝમ કાનને પરેશાન તેમજ હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશમાંથી અલગ-અલગ જગ્યાએથી સમાજવાદી પાર્ટીના કાર્યકરો રામપુર પહોંચી રહ્યાં છે. જેને લઇને રામપુરની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ રામપુર પહોંચે તેવી શક્યતા છે. જો કે આ અંગે કોઇ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ નથી. ઉલ્લેખનીય છે કે મહોમ્મદ અલી જોહર યૂનિવર્સિટીમાં ખેડૂતોની જમીન પર કબ્જા કરવા સહિત મદરેસા આલિયાના પુસ્તકો ચોરી થયા બાદ હવે પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે.
મદરેસા આલિયા (રાજકીય ઓરિએન્ટલ કોલેજ)માંથી ગૂમ થયેલ પૂસ્તકોની શોધમાં જોહર યુનિવર્સિટીમાં પોલીસે બુધવારે પણ દરોડા જારી રાખ્યા હતા. પોલીસે ત્યાંથી વધૂ પુસ્તકો જપ્ત કર્યાં હતા. એ સિવાય યૂનિવર્સિટીના કેમ્પસમાંથી બે સિંહની પ્રતિમા મળી હતી, જેના અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને રામપુરના કલબમાંથી ઉઠાવીને લાવવામાં આવ્યાં હતા.
બુધવારે પોલીસે સાંસદ આઝમ ખાનના પુત્ર તેમજ સ્વાર ટાડાના વિધાયક અબ્દુલ્લા ખાનની ધરપકડ કરી લીધી હતી. આ સમાચાર આ વિસ્તારમાં વાયુવેગે પ્રસરતાં પ્રદેશમાં વિરોધ પ્રદર્શને જોર પકડી લીધું હતું.