કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રામપુર માટે રવાના થઈ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુંસાર પ્રિયંકા પોતાની ગાડીમાં રામપુર માટે નિકળી ચૂક્યા છે.
નવરીત સિંહ ઓસ્ટ્રેલિયાથી હાલમાં ભારત પાછો ફર્યો હતો
રામગોવિંદ ચૌધરીના આવવાની જાણકારી મળી
પ્રિયંકા લગભગ 11.30 વાગે નવરીતની શોકસભામાં સામિલ થશે
27 વર્ષના નવરીત સિંહનું ટ્રેક્ટર પલટી જવાથી મોત થયું હતુ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી ઘટનામાં માર્યા ગયેલા યુવકના પરિવારને મળવા માટે રામપુર રવાના થઈ ગઈ છે. 27 વર્ષના નવરીત સિંહનું ટ્રેક્ટર પલટી જવાથી મોત થયું હતુ.
Delhi: Congress leader Priyanka Gandhi is en route to Rampur, Uttar Pradesh
પ્રિયંકા લગભગ 11.30 વાગે નવરીતની શોકસભામાં સામિલ થશે
પ્રિયંકા નવરીતના પરિવારજનોને મળવા અને શોક વ્યક્ત કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પ્રિયંકા લગભગ 11.30 વાગે નવરીતની શોકસભામાં સામિલ થશે. સૂત્રોના જણાવ્યાનુંસાર પહેલા રાહુલ ગાંધીનો તેમની સાથે જવાનો કાર્યક્રમ હતો પરંતુ ગુરુવારે લોકસભા ચાલી રહી છે અને ચર્ચા થવાની સંભાવનાને કારણે હાલમાં પ્રિયંકા ગાંધી જ જઈ રહ્યા છે. યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે રામપુર જશે. 26 જાન્યુઆરી ટ્રેક્ટર રેલી દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂત નવનીતના પરિવારને મળશે.
નવરીત સિંહ ઓસ્ટ્રેલિયાથી હાલમાં ભારત પાછો ફર્યો હતો
ઉલ્લેખનીય છે કે નવરીત સિંહ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ગયો હતો અને હાલમાં ભારત પાછો ફર્યો હતો. ભારત આવ્યા બાદ દિલ્હીની સીમાં પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા ગયો હતો. તેની મોત બાદ એવા સમાચાર આવ્યા હતા કે પરિવારને તેના આંદોલનમાં ભાગ લીધો હોવાની જાણ નહોંતી.
રામગોવિંદ ચૌધરીના આવવાની જાણકારી મળી
આજે નવરીત સિંહનો ભોગ અને અંતિમ અરદાસ છે. જેમાં હાજરી આપવા માટે અનેક નેતાઓ પહોંચી શકે છે. પ્રિયંકા ગાંધી ઉપરાંત રાલોદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરી, વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ રામગોવિંદ ચૌધરી ઉપરાંત અન્ય નેતાઓના આવવાની શક્યતા વર્તાઈ રહી છે. એસપી શગુન ગૌતમે જણાવ્યું કે અમે ફક્ત રામગોવિંદ ચૌધરીના આવવાની જાણકારી મળી છે. પ્રિયંકા ગાંધીના આવવાના સત્તાવાર સમાચાર અમારી પાસે નથી.