સમાજવાદી પાર્ટીના સાસંદ આઝમ ખાને મૉબ લિંચિંગ માટે મુસલમાનોને પાકિસ્તાન ના જવા માટે જવાબદાર ગણાવ્યા છે.
આઝામ ખાને જણાવ્યુ કે, ''મુસલમાન 1947 પછી સજા કાપી રહ્યા છે. જો મુસલમાન પાકિસ્તાન ચાલ્યા જતા તો તેમણે સજા ના મળતી. મુસલમાન અહિંયા છે તો છે, સજા ભોગવશે.'' તેમણે કહ્યુ કે, ''અમારા પૂર્વજ કેમ ના ગયા પાકિસ્તાન?, તેમણે આ દેશને વતન માન્યુ. હવે તેમને સજા મળી રહી છે અને તે સહન કરશે.''
સપા સાંસદ આઝમ ખાને કહ્યુ કે, ''1947માં મુસલમાન પાકિસ્તાન કેમ ના ગયા? તે મોલાના આઝાદ, પંડિત જવાહરલાલ નહેરુ અને સરાદર પટેલને પૂછો કેમકે તે લોકોએ મુસલામાનોને વચન આપ્યા હતા.'' આ સાથે જ કહ્યુ કે, ''બાપૂ (મહાત્મા ગાંધી)ની અપીલ પર મુસલામનો પાકિસ્તાન ના ગયા. બાપૂએ કહ્યુ હતુ કે, ''આ દેશ તમારો છે.'''
Azam Khan,Rampur MP on mob lynching incidents:It's the punishment Muslims are getting after 1947.Muslims will face it whatever may it be.Why didn’t our ancestors go to Pakistan?Ask this to Maulana Azad,Jawaharlal Nehru, Sardar Patel&Bapu.They had made promises to Muslims. (19.07) pic.twitter.com/RoRWpm8JqV
મૉબ લિંચિગની ઘટનાને લઇને આઝમ ખાને આગળ કહ્યુ કે, ''મુસલમાન ભાગલાના ભાગ ન હતા અને તેના આરોપી પણ ન હતા, તેમ છતાં તેમણે સજા મળી રહી છે.'' તેમણે કહ્યુ કે, મુસલમાન ભાગલા પછીથી સતત સજા ભોગવી રહ્યા છે. હવે જે પણ સ્થિતિ હોય તો મુસ્લિમ તેનો સામનો કરશે.'' આ સાથે તેમણે સવાલ પણ કર્યો કે, મુસલમાનોને આટલા વચનો કેમ આપ્યા?
ભૂ-માફિયા જાહેર થયા આઝમ ખાન:
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આઝમ ખાનને રામપુરમાં ભૂ માફિયા જાહેર કરવામાં આવ્યા. જૌહર યૂનિવર્સિટી માટે ખેડૂતોની જમીન પર કબ્જાના આરોપમાં ફસાયેલી આઝમ ખાનને પ્રશાસને ભૂમાફિયા જાહેર કરી દીધા છે. જિલ્લા અધિકારી જણાવ્યુ કે, ''શાસનાદેશ અનુસાર, એવા લોકોને ભૂમાફિયા જાહેર કરવામાં આવે છે જેઓ દબંગાઇથી જમીન પર કબ્જો કરી લે છે. જે લોકો અવૈધ કબ્જો છોડવા માટે તૈયાર નથી અને તેમના વિરુદ્ઘ પોલીસ કેસ દાખલ કરે છે તેમનુ નામ ઉત્તર પ્રદેશના એન્ટી ભૂ માફિયા પોર્ટલમાં દાખલ કરવામાં આવે છ. સરકાર પણ તેની દેખરેખ રાખે છે.'' ઉપજિલ્લાઅધિકારીએ જણાવ્યુ કે, ''આઝમ ખાનનું નામ ભૂ માફિયા પોર્ટલ પર દાખલ કરવામાં આવ્યુ છે. આગળની કાર્યવાહી નિયમાનુસાર કરવામાં આવશે.''
ઉલ્લેખનીય છે કે, આઝમ ખાન વિરુદ્ઘ એક અઠવાડિયા દરમિયાન જમીન કબ્જાના 13 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક કેસ 12 જૂલાઇના પ્રશાસન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ છે કે, આલિયા ગંજના 26 ખેડૂતોની જમીન પર કબ્જો કરવાનો આરોપ છે.