દેશની સુપ્રીમ કોર્ટે એક તાળુ તોડવા માટે આદેશ કર્યો છે. સ્ટ્રોંગ તોડવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આ તાળાનો કોઈ તોડનારો નથી મળી રહ્યો.. વાત ઉત્તરપ્રદેશના રામપુરની છે. અહીંના નવાબની અબજો રૂપિયાની સંપત્તિની વહેંચણીનો વિવાદ ચાલતો હતો. એવામાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો. આદેશ પ્રમાણે મુજબ, જમીન, મહેલો અને ઝરઝવેરાત ઉપરાંત વર્ષોથી બંધ પડેલાં સ્ટ્રોન્ગ રૂમમાં રહેલા ખજાનાની પણ વહેંચણીનો આદેશ કરાયો.
નવાબની 'અતૂટ' તિજોરી
નિષ્ણાંતો પણ નથી તોડી શક્યા તાળુ
રામપૂરના નવાબની છે તિજોરી
જોકે, રામપુરના નવાબના મહેલનો આ સ્ટ્રોગ રૂમ ખોલવાના 3 પ્રયાસો બાદ પણ તે ખુલ્યો નથી. ન તો અત્યંત મજબૂત રીતે બનાવાયેલા આ સ્ટ્રોન્ગ રૂમનું વિશિષ્ટ પ્રકારનું તાળું ખુલી રહ્યું છે અને ન તો જાડી મેટલની દિવાલોને ગેસ કટરથી કપાઈ રહી છે. નવાબના 16 વારસદારો પોતાને ભાગે આવનારા ખજાનાની રાહ જોઈને બેઠેા છે પરંતુ નવાબની મજબૂત તિજોરી ખુલવાનું નામ નથી લેતી.
અબજો રૂપિયાની સંપત્તિના માલિક હતા નવાબ
આઝાદી પહેલા જ દુનિયાને અલવીદા કહેનારા રામપુરના નવાબ રઝા અલી ખાન અબજો રૂપિયાની સંપત્તિના માલિક હતા. તેમના ત્રણ મહેલની કિંમત આશરે 80 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે. રામપુર, લખનૌ, ફૈઝાબાદ અને દિલ્હી આસપાસ પણ તેમની કરોડોની જમીન છે. આટલી સ્થાવર સંપત્તિ ઉપરાંત રામપુરના ખાસ મહેલમાં નવાબે એક વિશિષ્ટ પ્રકારનો સ્ટ્રોન્ગ રૂમ બનાવ્યો હતો. જેમાં તેમણે કરોડો રૂપિયાનો ખજાનો રાખ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે આ સ્ટ્રોંગ રૂમ એટલો સ્ટ્રોંગ છે કે હવે તેનું તાળુ પણ નથી ખુલી રહ્યું.
નવાબનો આ સ્ટ્રોંગરૂમ ઈંગ્લેન્ડના ચાર્લ્સ ચબ નામના લુહારે બનાવ્યો હતો.
નવાબનો આ સ્ટ્રોંગરૂમ ઈંગ્લેન્ડના ચાર્લ્સ ચબ નામના લુહારે બનાવ્યો હતો. દુનિયાભરના ધનકુબેરો ચબની કંપની દ્વારા બનાવાયેલા વિશિષ્ટ પ્રકારના તાળા અને તિજોરી પર વિશ્વાસ મૂકતાં હતાં. ચાર્લ્સ ચબ મિશ્રિત ધાતુની 8 ઇંચની દિવાલવાળુ વિશિષ્ઠ તાળુ બનાવતા હતા. તેના મુખ્ય તાળાની નીચે 8 કળના અલગ અલગ 4 અન્ય તાળા ખોલ્યા પછી જ તિજોરીમાં રાખેલો માલસામાન મેળવી શકાતો હતો.
ખોટી ચાવી લગાવવાથી તાળુ જામ થઈ જાય તેવી કારીગરી
એકપણ તાળામાં એક વાર પણ ખોટી ચાવી લગાવવાથી તાળુ જામ થઈ જાય એવી કારીગરી તેમાં કરવામાં આવતી હતી. રામપુરના નવાબે પણ ચબને બ્રટેનથી બોલાવીને અહી સ્ટ્રોંગ રૂમ બનાવડાવ્યો હતો. રામપુરના નવાબની આ તિજોરીનો રૂમ આજે પણ યથાવત છે પરંતુ તેની ચાવીઓ ખોવાઈ ગઈ છે. એટલે જ ભેદી તિજોરીનું તાળુ ખોલવા માટે રામપુર, લખનૌના તાળા તોડવાના નિષ્ણાતોએ ત્રણ પ્રયાસો કર્યા છે. જોકે તેઓ સફળ નથી થયા. આ તાળુ ગેસ કટરથી પણ ન કાપી શકાતા હવે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી તરીકે નિમેલા મેજિસ્ટ્રેટની હાજરીમાં ફરી પ્રયાસ કરાશે.