કોરોના વાયરસની બિમારી હવે ભારતમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રેલ, બસ અને વિમાન સેવા ઠપ છે. કોરોનાની ચેઇનને તોડવા માટે સરકાર દ્વારા બેઠકો યોજી સમીક્ષા કરવામાં આવી રહી છે.
કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્યું ટવિટ
પ્રિયંકાએ કહ્યું પરીક્ષણથી મળશે મૂલ્યવાન જાણકારી
આ બધા વચ્ચે વિપક્ષ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી કોરોના વાયરસના ટેસ્ટિંગ વધારાવાની માંગણી કરી છે. પ્રિયંકા ગાંધીએ ટેસ્ટિંગની માત્રા વધારવાની જરૂરિયાત બતાવાત ટ્વિટ કરી કહ્યું છે કે જેનાથી રોગની ગંભીરતા અને ફોકલ પોઇન્ટસના સંબંધમાં વધારે મૂલ્યવાન જાણકારી પ્રાપ્ત થાય છે.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે લોકડાઉનના પરિણામ પ્રાપ્ત કરવા માટે તેને પ્રોત્સાહિત કરવું જોઇએ. કોંગ્રેસ મહાસચિવે જણાવ્યું કે મોટા પાયે સંશોધન દેશમાં તબીબી માળખાકીય વ્યવસ્થાને ટેકો આપશે. પ્રિયંકા કહ્યું કે સરકારને હવે કાર્યવાહી કરવી જોઇએ.
It is imperative that India immediately ramps up its rate of testing. Extremely valuable information about the severity of the disease, disease clusters and focal points is gained from testing. In order for this lockdown to yield results, it has to be backed up..1/2#MoreTesting
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 4, 2020
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની કાર્યકારણીની બેઠક બાદ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના વાયરસને નિપટવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસોની નિંદા કરી હતી.
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે કોઇપણ તૈયારી વગર લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જો કે ભાજપ તરફથી પલટવાર કરી આ નિવેદનને હલકી રાજનીતિ ગણાવતાં સોનિયા ગાંધીના આરોપને ફગાવી દીધા હતા.