રામચરિત માનસ અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિએ અયોધ્યામાં ભગવાન રામ પ્રગટ થયા હતા. જે દિવસે ભગવાન રામ ધરતી પર આવ્યા ત્યારે ગ્રહોનો અતિ શુભ યોગ બન્યો હતો. તેનાથી ભગવાન રામની કુંડળીમાં શુભ સંયોગ બન્યા. રામ ભક્તો માટે મહત્વપૂર્ણ અને લાભ લેવાનો અવસર બન્યો. જાણો આજે બનનારા 5 શુભ સંયોગ અને પૂજાના મૂહુર્ત વિશે વિગતે.
રામનવમી પૂજા મૂહુર્ત - સવારે 10.38થી બપોરે 1.38 સુધી
2 એપ્રિલ સવારે 3.40 મિનિટથી 3 એપ્રિલ સવારે 2.43 મિનિટ સુધી શુભ યોગ છે. આ સમયે 2 તારીખે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ અવસર પર દુર્લભ એવા 5 સંયોગ બની રહ્યા છે.
જાણો કયા છે આ ખાસ સંયોગ
સર્વાર્થ સિદ્ધિ યોગ
આજે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ બન્યો છે તેમાં કોઈ પણ શુભ કામ કરવું શુભદાયી રહેશે. આ સમયે સુંદરકાંડનો પાઠ પુણ્ય અપાવશે.
ગુરુ પુષ્ય યોગ
સાંજે 7.28 મિનિટે પુષ્પ નક્ષત્ર બેસશે. આ સમયે ગુરુ પુષ્ય નામનો શુભ યોગ બનશે. આ સમયે કરાયેલું શુભ કામ લાંબા સમય સુધી ફળની પ્રાપ્તિ આપશે. સંતાન સુખની ઈચ્છા ધરાવનારા માટે ઉત્તમ સમય. ઘરના બાળકની સામે બેસીને બાલ કાંડનો પાઠ કરવો. જેથી તેમનામાં ઉત્તમ સંસ્કારાનું સિંચન થાય.
રવિ યોગ
અનેક અશુભ યોગનો નાશ કરનારો યોગ છે. સાંજે 7. 29 મિનિટે તેનો આરંભ થશે. જે 3 એપ્રિલ સવારે 6.09 મિનિટ સુધી રહેશે. આ સમયે રામચરિત માનસનો પાઠ લાભદાયી છે. આ સાથે आदौ रामतपोवनादि गमनं, हत्वा मृगं कांचनम्। वैदेहीहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणम्।। बालीनिग्रहणं समुद्रतरणं, लंकापुरीदाहनम, पश्चाद् रावण कुम्भकर्ण हननम, एतद्धि रामायणम्।।નો પાઠ પુણ્ય અપાવશે.
અમૃત સિદ્ધિ યોગ
ગુરુ પુષ્પ, રવિની સાથે આ યોગ પણ ફળદાયી છે. જેમાં સ્નાન, દાન, પૂજન કરવું અમૃત સમાન હોય છે. આ દિવસે કોઈ પણ સમયે પૂજા લાભદાયી રહે છે. સંધ્યાકાળે કોઈ શુભ યોગ હોવાથી સાંજની પૂજામાં ખાસ ધ્યાન રાખવું.
ગજકેસરી યોગ
આ દિવસે ગુરુ અને ચંદ્રમા એકમેકની સાતમી રાશિમાં હશે. એટલે કે એકમેકના કેન્દ્ર સ્થાનમાં હોવાથી શુભ ગજકેસરી યોગ બની રહ્યો છે. આ યોગમાં મનોકામનાને ધ્યાનમાં રાખીને ભગવાન રામ સહિત દુર્ગા માતાની પૂજા લાભદાયી રહેશે. લંકા કાંડનો પાઠ શત્રુઓથી વિજય અપાવશે.