હિંદુ તહેવારમાં રામ નવમીનું વિશેષ સ્થાન હોય છે. આ તહેવાર ભગવાન રામના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. રામનવમીથી જ ચૈત્ર નવરાત્રી પૂર્ણ થઇ જાય છે. ભગવાન રામ વિષ્ણુના અવતારોમાંથી એક છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર માસની નવમી તિથીએ પુષ્ય નક્ષત્રમાં થયો હતો. શાસ્ત્રો અનુસાર ત્રેતાયુગમાં રાવણના અત્યાચારોથી મુકતિ અપાવવા અને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુએ મનુષ્યના રૂપમાં અયોધ્યાના રાજા દશરથના ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો હતો. રામનવમીનો તહેવાર પૂરા ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને જોશની સાથે મનાવવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર વિષ્ણિએ મનુષ્યના રૂપમાં અયોધ્યાના રાજા દશરથના અહીંયા પુત્ર રૂપમાં જન્મ લીધો હતો.
રામનવમીના દિવસે મંદિરોમાં પૂજા ભજન અને કિર્તીનું આયોજન કરવામાં આવે છે. રામનવમી પર આખા દિવસનો ઉપવાસ કરીને ભગવાન રામનો જન્મ દિવસ મનાવવામાં આવે છે અને સૂર્યાસ્ત બાદ ભોજન કરે છે. ભગવાનને પ્રસાદના રૂપમાં પંચામૃત શ્રીખંડ ખીર અથવા હલવાનો ભોગ ચઢાવવામાં આવે છે.
રામનવમીનો તહેવાર ભગવાન રામની જન્મસ્થળ અયોધ્યામાં ખૂબ જ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. લોકો સરયુ નદીમાં સ્નાન કરીને દરેક ભક્ત ભગવાન રામના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
આ તહેવાર સાથે ચાત્ર નવરાત્રિ પૂર્ણ પણ થઇ જાય છે. ભઘવાન રામે પણ દેવી દુર્ગાના શક્તિ સ્વરૂપની પૂજા કરી હતી પછી ત્યારબાદ લંકામાં રાવણનો વધ કરવામાટે ચઢાવવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો હતો.
આ શુભ મુહૂર્તમાં કરો પૂજા
રામનવમી પૂજા મુહૂર્ત: બરોપે 11:14 થી બપોરે 13:41
સમય: 2 કલાક 26 મિનીટ
રામનવમીની દિવસે પૂજાનો શ્રેષ્ઠ સમય બપોરે: 12:27