અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ફક્ત ભારત જ નહીં પણ વિશ્વના 155 દેશોની નદીઓના પાણીથી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે રામલલાનો જલાભિષેક કરશે.
રામ જન્મભૂમિ મંદિરમાં વિશ્વની અનેક નદીઓ જળથી અભિષેક કરવામાં આવશે
યોગી આદિત્યનાથને 155 દેશોની નદીઓના પાણી સોંપશે
2020થી શરૂ થયું હતું આ અભિયાન
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને એ સાથે જ નિર્માણ કાર્ય દરમિયાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના જલાભિષેકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ફક્ત ભારત જ નહીં પણ વિશ્વની અનેક નદીઓ અને સમુદ્રોના જળથી અભિષેક કરવામાં આવશે. નોંધનીય છે કે તેને ભવ્ય અને યાદગાર બનાવવા માટે એક મોટો કાર્યક્રમની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
યોગી આદિત્યનાથને 155 દેશોની નદીઓના પાણી સોંપશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે 155 દેશોની નદીઓના પાણીથી રામલલાનો જલાભિષેક કરશે. આ વિશે વાત કરતાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે વિજય જોલીના નેતૃત્વવાળી એક ટીમ યુપીના સીએમ યોગી આદિત્યનાથને 155 દેશોની નદીઓના પાણી સોંપશે. આ સાથે જ તમને જણાવી દઈએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સીએમ યોગી આદિત્યનાથ 23 એપ્રિલે મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ઓડિટોરિયમમાં 'જલ કલશ'ની પૂજા કરશે.
2020થી શરૂ થયું હતું આ અભિયાન
જણાવી દઈએ કે વર્ષ 2020 માં દિલ્હીની બિન-સરકારી સંસ્થા દિલ્હી સ્ટડી ગ્રુપે પાણી એકત્રિત કરવા માટે આ અભિયાન શરૂ કર્યું હતું અને આ સંગઠનના અધ્યક્ષ દિલ્હીના ભાજપના પૂર્વ ધારાસભ્ય વિજય જોલી છે. હવે વિશ્વભરની નદીઓનું પાણી એકત્ર થઈ ગયું છે એટલા માટે વિજય જોલી ગુરુવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં જલાભિષેક કરતા પહેલા અયોધ્યા પહોંચ્યા હતા.
રશિયા-યુક્રેનની નદીઓનું પાણી પણ એકત્રિત કર્યું
જણાવી દઈએ કે પાકિસ્તાનની રાબી નદી સહિત સમગ્ર વિશ્વમાં વહેતી નદીના પાણીને એકત્ર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે યુદ્ધ દરમિયાન પણ રશિયા અને યુક્રેનની નદીઓનું પાણી પણ એકત્ર કરવામાં આવ્યું છે.
રાબી નદીનું પાણી દુબઈ થઈને આવ્યું
પૂર્વ ધારાસભ્ય વિજય જોલીએ કહ્યું કે જ્યારે મેં પાકિસ્તાનમાં મારા મિત્રો સાથે વાત કરી તો તેઓએ હિંદુઓ પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યોઆ અને પાણી મોકલવામાં અસમર્થતા દર્શાવી જો કે એ બાદ એમને પણઇ મોકલ્યું. હું પાકિસ્તાનના તે હિંદુ મિત્રોને સલામ કરું છું જેમણે પાણી પેક કર્યું અને સતર્કતા એમજ સક્રિયતા સાથે દુબઈ મોકલી અને દુબઈથી હું તેને ભારત લાવવામાં સફળ થયો.