કોરોનાની દવા બનાવવાને લઈને પોતાના પહેલાના દાવાથી પતંજલિ યોગપીઠ પલટી ચૂકી છે. પ્રદેશના આયુષ વિભાગની તરફથી આપવામાં આવેલી નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું કે તેઓએ ક્યારેય પણ કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો નથી પણ જે દવા બનાવવામાં આવી છે તેનાથી કોરોનાના દર્દીઓ સાજા થયા છે. કહ્યું કે વિભાગની તરફથી જે હેતુથી લાયસન્સ જાહેર કરાયું હતું તેને અનુરૂપ ઈમ્યુનિટી બૂસ્ટર, ખાંસી અને તાવની દવા બનાવી હતી. પતંજલિ હવે દાવા અને દવા બંને પર કાયમ છે.
પતંજલિએ કોરોનાની દવાને લઈને આપ્યુ મોટું નિવેદન
પતંજલિએ ક્યારેય કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો નથી
પતંજલિએ ઈમ્યુનિટી બૂસ્ટર, ખાંસી અને તાવની દવા બનાવી હતી
ઉલ્લેખનીય છે કે ગત 23 જૂને પતંજલિના દિવ્ય ફાર્મસીએ રાજસ્થાનની નિમ્સ યુનિવર્સિટીની સાથે મળીને કોરોનિલ અને શ્વાસારી વટી લોન્ચ કરી હતી અને તેનાથી કોરોનાના દર્દીઓને સાજા કરવાનો દાવો પણ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે દર્દીઓ પર તેનું ક્લિનિકલ ટેસ્ટ કરાયું હતું પરંતુ તરત જ સ્વાસ્થ્ય મંત્રાલયના આયુષ વિભાગે આ દાવાને નકાર્યો હતો.
પતંજલિને મળી કારણ જણાવો નોટિસ
તેમનું કહેવું છે કે પતંજલિ યોગપીઠની તરફથી કોરોનાની દવા બનાવવાની કોઈ અનુમતિ કે લાયસન્સ લેવાયું નથી. રાજ્યના આયુષ વિભાગે કહ્યું છે કે પતંજલિને દવા નહીં, ઈમ્યુનિટી બૂસ્ટર બનાવવાનું લાયસન્સ આપવામાં આવ્યું હતું. સાથે જ પતંજલિના કારણ બતાઓ નોટિસ જાહેર કરીને એક અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. સોમવારે પતંજલિએ વિભાગને જવાબ મોકલ્યો છે.
પતંજલિએ કારણ જણાવો નોટિસનો આપ્યો આ જવાબ
તેમાં કહેવાયું છે કે પરિણામો અને પોતાના દાવા પર પતંજલિ યોગપીઠ સંપૂર્ણ રીતે કાયમ છે. કેટલાક લોકો પતંજલિ યોગપીઠની વિરુદ્ધમાં સાજિશ કરતાં દુષ્પ્રચાર કર્યો છે. આ કારણે વિવાદ થયો છે. પતંજલિની તરફથી જવાબ મળ્યા બાદ આયુષ મંત્રી ડૉ. હરક સિંહ રાવતે વિધાનસભામાં આયુષ સચિવ દિલિપ જાવલકર અને આયુર્વેદ ડ્રગ્સ લાયસન્સ અધિકારી ડૉ. વાઈએસ રાવત સાથે બેઠક કરી હતી.આ અધિકારીઓએ મંત્રીઓને કહ્યું કે પતંજલિએ પોતાના જવાબમાં કહ્યું છે કે પતંજલિની તરફથી ન તો કોઈ કોરોનાની દવા બનાવવામાં આવી છે અને ન તો કોઈ કોરોના કિટનો પ્રચાર પ્રસાર કરાયો છે. આયુષમંત્રીએ આ કેસમાં પતંજલિ સાથે વાત કરી છે. અને તેના જવાબથી માહિતગાર કરાયા છે. મંત્રાલયે આ સંબંધમાં પ્રદેશ સરકારને પત્ર જાહેર કરીને વાત કરી છે.