અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં રહેલ શ્રીરામ મંદિરના ગર્ભગૃહમાં મોદીના પૂજનનું આસન હશે. તો પ્રાર્થના મંડપમાં કેન્દ્રીય મંત્રી ગણ, મુખ્યમંત્રી ગણ, રાજ્યપાલ, સંઘ પ્રમુખ સહિત તમામ દિગ્ગજો હાથ જોડેલા મળશે. ગર્ભગૃહની ચારે બાજુ ગૂઢ મંડપથી સંત- ધર્માચાર્ય અને વૈદિક આચાર્ય મંત્રોચ્ચાર કરતા જોવા મળશે. મંદિરના ભૂમિ પૂજનની આ બ્લૂ પ્રિન્ટ શનિવારે મુખ્યમંત્રી યોગીએ મુલાકાત દરમિયાન નક્કી કરી હતી. પીએમ મોદી અરજદાર બનીને આવશે પણ તૈયારીઓ અવધના રાજા રામની ભવ્યતાના આધારે કરવામાં આવશે. 500 વર્ષ પછી રામ દરબાર સજશે. ત્યારે પીએમ અરજદાર બનશે
ભગવા રંગનો ધ્વજ લહેરાશે
તૈયારીઓ અવધના રાજા રામની ભવ્યતાના આધારે કરવામાં આવશે
500 વર્ષ પછી રામ દરબાર સજશે. ત્યારે પીએમ અરજદાર બનશે
પૂજન સાથે સીટિંગ પ્લાન 84 હજાર 600 વર્ગફુટના પ્રસ્થાપિત મંદિરના 5 ગુંબજની નીચે ચૌહદ્દીમાં કરવામાં આવશે. પરિસરથી લઈને આખા શહેરને દુલ્હનની જેમ ત્રેતાયુગ જેવી ભવ્યતા અને દિવ્યતા સાથે સજાવવામાં આવશે. 500 વર્ષ બાદ રામ દરબાર સજશે. જેમાંની તૈયારીઓ પર લોકોની નજર અટકેલી છે. 70 એકરના મંદિર પરિસરમાં લોખંડની પાઈપ અને બાકીની વસ્તુઓને ભગવા રંગથી રંગવામાં આવશે. જ્યાં ઉ લખેલો ભગવા રંગનો ધ્વજ લહેરાશે. અહીં મુખ્ય કાર્યાલય સ્થળને તોફાન વાવાઝોડાને પહોંચી વળે તેવો વોટર પ્રુફ ટેંટથી મંદિરના આકર જેવું બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય કહે છે કે પ્રધાનમંત્રી જે દિવસે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણની શરુઆત કરવા માટે પૂજન કરી રહ્યા છીએ. જે સ્વતંત્ર્ય ભારતનો સૌથી મહત્વનો પ્રસંગ હશે. જેનું સીધુ પ્રસારણ દુરદર્શન પર કરવામાં આવશે. અન્ય ચેનલો પર પણ તે દેખાશે.
ભવ્ય રામ મંદિર કેવું હશે?
રામ મંદિરની સૌથી પહેલી ડિઝાઈન 1985માં બનાવવામાં આવી હતી
એ વખતે મંદિરમાં આવનારા ભક્તોના અંદાઝા પરથી ડિઝાઈન તૈયાર થઈ હતી
1985 પછી 35 વર્ષ વીતી ચૂક્યા છે અને ભક્તોનો એસ્ટીમેટ પણ વધ્યો છે
નવા સમયને વિચારીને મંદિરને વધારે પહોળું કરવાનું નક્કી કરાયું છે
રામ મંદિર હવે બે નહી પરંતુ ત્રણ માળનું બનવાનું છે
રામ મંદિરની ઉંચાઈ 161 ફુટ અને પહોળાઈ 140 ફુટની હશે
મંદિરનો મૂળ દેખાવ મોટેભાગે એનો એ જ રહેવાનો છે
બે બાજુમાં અને એક આગળના ભાગે એમ કુલ ગુંબચની સંખ્યા 5ની હશે
1985ની ડિઝાઈનમાં રામ મંદિરને 3 ગુંબટવાળું બનાવવાનું હતું
અગાઉની ડિઝાઈનમાં ઉંચાઈ 128 ફુટ હતી જે હવે 161 ફુટની કરાઈ છે
ત્રણ માળના રામ મંદિરમાં 318 સ્થંભ હશે જેના પર મંદિરનો મૂળ ભાગ હશે
રામ મંદિરના ત્રણ માળમાં દરેક માળ પર 106 સ્તંભ હશે
રામ મંદિર જમીનથી 17 ફુટની ઉંચાઈ પર હશે
રામ મંદિરના બીજા માળે રામ દરબાર હશે
69 એકર જમીન પર 5 ગુંબચો વાળું મંદિર દુનિયામાં ક્યાંય નથી
શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ડિઝાઈનમાં બદલાવ કરાયો છે