ડાયાબિટીસ થતાં આપણે પોતાના ડાયટમાં થોડા ફેરફાર લાવીએ છીએ. પરંતુ શું તમે એક દેશી ફૂડ ટ્રાય કર્યુ છે, જેનુ નામ તમે બાળપણથી સાંભળી રહ્યાં છો.
ડાયાબિટીસ થયા બાદ ડાયટમાં લાવો ફેરફાર
આ દેશી દાણાનુ સેવન કરવાથી બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
દેશી દાણા શરીર માટે પણ છે ખૂબ ફાયદાકારક
બ્લડ શુગર લેવલને કેવીરીતે કંટ્રોલ કરશો?
હાલમાં સમયમાં લોકોની બદલાતી લાઈફસ્ટાઈલ અને ફૂડ હેબિટ્સ તેમની બરબાદીનુ કારણ બની રહી છે. જેના કારણે ભારત સહિત આખી દુનિયામાં ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓનુ જોખમ સતત વધી રહ્યું છે. ડાયાબિટીસના દર્દીઓની સૌથી મોટી સમસ્યા હોય છે કે આખરે બ્લડ શુગર લેવલને કેવીરીતે કંટ્રોલ કરી શકાય. આમ ના કરવાથી ગંભીર સ્થિતિ ઉભી થઇ શકે છે. શુગર પેશન્ટ જો પોતાના ખાવા-પીવા પર કંટ્રોલ ના કરી શક્યા તો ધીરે-ધીરે તેનુ શરીર ખોખલુ થવા લાગે છે.
રામદાના ખાવાના ફાયદા
રામદાના શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે, જેને રાજગરા, ચોલાઈ અથવા અમરનાથના નામથી પણ ઓળખવામાં આવે છે. બાળપણમાં તમે રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશન પર રામદાનાના લાડુ અવશ્ય ખાધા હશે. પરંતુ શુ તમે જાણો છો કે તેની મદદથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ પણ કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ અવશ્ય ખાવ રામદાના
રામદાના એક ગ્લૂટેન-ફ્રી અનાજ છે, જેને કેલ્શિયમ, પ્રોટીન અને ફાઈબરનો રિચ સોર્સ માનવામાં આવે છે, જેમાં કોઈ બીજા અનાજની સરખામણીએ વધુ લાઈસિન હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઈબરનુ સેવન વધુ જરૂરી છે. તેથી તેઓએ રામદાના જરૂર ખાવા જોઈએ. તેનાથી ડાયાબિટીસમાં તો રાહત મળે છે, પરંતુ તેનાથી મેદસ્વિતા પણ ઘટે છે.
આ રીતે ખાવ રામદાન
તમે રામદાનાની કટલેટ બનાવીને ખાઈ શકો છો. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો ઘઉંના લોટની સાથે મિક્સ કરી નાખો અને તેની ટીક્કી બનાવીને ખાઈ લો.
જો તમે બિસ્કિટ ખાવાના શોખીન છો તો રામદાનાની કુકીજ વધુ પસંદ કરવામાં આવે છે. જેને ઘરમાં તૈયાર કરવી ખૂબ સરળ છે. જેના માટે રામદાના અને ઘઉંના લોટમાં કિશમિશ, ગાજર, આદુ, બેકિંગ પાઉડર મિલાવીને ઓવનમાં કુકીજ બેક કરી લો.