RRRનાં અભિનેતા રામચરણ 41 દિવસનો ઉપવાસ કરી રહ્યા છે. તેઓ મુંબઈમાં ખુલ્લા પગે જોવા મળ્યા હતા. જાણો વિગતવાર
41 દિવસો સુધી બ્રહ્મચર્યનું પાલન કરશે રામચરણ
ખુલ્લા પગે મુંબઈમાં જોવા મળ્યા અભિનેતા
અયપ્પા દીક્ષાની કરી શરૂઆત
ખુલ્લા પગે મુંબઈમાં જોવા મળ્યા અભિનેતા
સાઉથ સુપરસ્ટાર રામચરણની ફિલ્મ RRRની સફળતાએ એ સાબિત કરી દીધું છે કે તેઓ ફેન્સનાં ફેવરીટ છે. પોતાની શાનદાર એક્ટિંગને કારણે દર્શકોનાં દિલો પર રામચરણ રાજ કરે છે. ફેન્સ વચ્ચે તેમનો ક્રેઝ જોવા લાયક હોય છે. હાલમાં જ રામચરણ મુંબઈના ગેટી ગેલેક્સી થીએટરમાં પોતાની આઈકોનિક ફિલ્મ RRR પર લોકોના રિએક્શન જોવા પહોંચ્યા હતા.
રામચરણ સોશિયલ મીડિયા પર વાયરલ
રામચરણને મુંબઈના પ્રાઈવેટ એરપોર્ટ પર પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ હતી કે એ દરમિયાન, તેમણે ચપ્પલ કે શૂઝ પહેર્યા ન હતા. સોશિયલ મીડિયામાં કાળા કપડામાં ખુલ્લા પગે રામચરણની તસવીરો અને તેમના વીડિયોઝ વાયરલ થઇ રહ્યા છે.
રામચરણને રવિવારે મુંબઈમાં પ્રાઈવેટ એરપોર્ટ પર સ્પોટ કર્યા બાદ બાંદ્રામાં એક રેસ્ટોરાંની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, તેઓ ગેલેક્સી થીએટર પણ પહોંચ્યા હતા અને તેમણે ત્યાં પણ ચપ્પલ પહેર્યા ન હતા. રામચરણ આ દરમિયાન, કાળા કુરતા, ચૂડીદારમાં જોવા મળ્યા હતા. તેમનો આ ઓલ બ્લેક લૂક પણ ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. રામચરણનાં વીડિયોમાં ફેન્સે હજુ એક વસ્તુ નોટિસ કરી છે. રામચરણ પોતાના ડોગી સાથે વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક યુઝર લખે છે કે બોલીવુડે આ લોકો પાસેથી ઘણું શીખવાની જરૂર છે. ફિલ્મ બનાવવાથી લઈને જમીન સાથે જોડાઈને કેમ રહેવું જોઈએ. બધું જ. એક અન્ય યુઝર લખે છે કે બોલિવુડનાં જેટલા માચો મેન છે, તેમણે સાઉથનાં એક્ટર્સ પાસેથી સાદગી લેવી જોઈએ.
41 દિવસોનું મહાવ્રત કરી રહ્યા છે રામચરણ
રામચરણનાં ઉઘાડા પગ પાછળ એક મોટું કારણ હતું. એક યુઝરે વિસ્તારથી આ જાણકારી આપી કે આ દક્ષિણ ભારતની એક પરંપરા છે, જેને અયપ્પા દીક્ષા કહેવામાં આવે છે. આ 41 દિવસો સુધી ચાલે છે. આ દરમિયાન, પોતાનું ભધું જ ભગવાનને અર્પિત કરી દેવામાં આવે છે. ન ચપ્પલ પહેરવાનાં હોય છે, ન નોનવેજ ખાઈ શકાય. જમીન પર જ સુવું પડે છે. આ જ ફેન જણાવે છે કે રામચરણ દર વર્ષે આ કામ કરે છે.
પાળેલા ડોગી માટે માનતા
રામચરણે જણાવ્યું હતું કે તેઓ પોતાના એક ડોગીને ગુમાવી ચુક્યા છે અને એટલા માટે તેમની પત્નીએ તેમને એક પપ્પી ઉપહારમાં આપ્યું હતું. તેઓ પગ ભાંગી ગયો હતો, એટલા માટે રામચરને માનતા માંગી હતી કે તેઓ ત્યાર સુધી નોનવેજ નહી ખાય જ્યાર સુધી તેમનું પપ્પી ઠીક ન થઇ જાય.
અજય દેવગણે પણ કર્યો હતો ઉપવાસ
ત્રણ મહિના પહેલા અજય દેવગણ પણ આવા જ અવતારમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર કાળા કપડા પહેરેલા, તિલક લગાવેલ અને ગળામાં માળા પહેરેલ અજય દેવગણનો ફોટો વાયરલ થયો હતો. તેમણે પણ અયપ્પા સ્વામીનાં દર્શન માટે 41 દિવસનો ઉપવાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ કેરળનાં સબરીમાલા મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
41 દિવસ ઉપવાસ
જણાવી દઈએ કે સબરીમાલામાં ભગવાન અયપ્પાનાં દર્શનની ઈચ્છા રાખવાવાળા લોકોએ પહેલા 41 દિવસો સુધી તપ કરવું પડે છે, જેને 'મંડલમ' કહેવામાં આવે છે. આ માટે 41 દિવસો સુધી બધા જ લૌકિક બંધનો છોડીને બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. વાદળી કે કાળા કપડા પહેરવા પડે છે. ગળામાં તુલસીની માળા રાખવી પડે છે અને દિવસ આખામાં માત્ર એક જ વાર સાધારણ જમવાનું મળે છે. દરરોજ સાંજે પૂજા કરવી પડે છે અને જમીન પર સુવું પડે છે. આ તપ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળે છે.