રામાનંદ સાગરની રામાયણ જ્યારથી દૂરદર્શન પર ફરી પ્રસારિત કરવામાં આવી છે ત્યારથી જ તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ સીરિયલ હમેશાં ચર્ચામાં રહે છે. આ જ કારણથી લોકડાઉનમાં પણ આ શોને છપ્પરફાડ ટીઆરપી મળી રહી છે. જોકે, હવે આશ્ચર્યની વાત એ છે કે, આ શોએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ શોને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. આ રેકોર્ડ દુનિયાભરમાં તેના દર્શકોને કારણે બની શક્યો છે.
A post shared by Ramayan (@ramanandsagarramayan) on
લોકડાઉનને કારણે રામાયણને ફરી રિલીઝ કરવામાં આવ્યું હતું અને થોડાં જ દિવસોમાં શોને જબરદસ્ત ટીઆરપી મળવાની શરૂ થઈ ગઈ હતી. હવે એવા સમાચાર છે કે, રામાયણના 16 એપ્રિલના એપિસોડને દુનિયાભરમાં 7.7 કરોડ દર્શકોએ જોયો. જેના કારણે રામાયણ વિશ્વમાં સૌથી વધુ જોવાયેલો મનોરંજન શો બની ગયો. થોડાં દિવસ પહેલાં પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે જણાવ્યું હતું કે, વર્ષ 2015થી લઈને અત્યાર સુધી જનરલ એન્ટરટેનમેન્ટ કેટગરીમાં આ ધાર્મિક શો ટોપ પર છે.
આ સિવાય સર્ચ એન્જિન યાહૂએ લોકડાઉન દરમિયાન સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપિક્સની લિસ્ટ પણ બહાર પાડી હતી. આ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં કોના વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. જેમાં સર્ચની એન્ટરટેનમેન્ટ કેટેગરીમાં રામાયણને સર્ચ કરવાની વાત સામે આવી હતી. જોકે, તેમાં સિંગર કનિકા કપૂર જેવા ઘણાં ટોપિક્સ પણ સામેલ હતા.
A post shared by Ramayan (@ramanandsagarramayan) on
ઉલ્લેખનીય છે કે, રામાયણના રિ-ટેલિકાસ્ટ બાદથી આ શોથી જોડાયેલા અનેક કિસ્સાઓ વાયરલ થઈ ચૂક્યા છે. આ સિવાય લોકો આ ધાર્મિક સીરિયલમાં મહત્વનો રોલ ભજવનાર એક્ટર્સ વિશે પણ વધુને વધુ જાણવા માટે ઉત્સુક જોવા મળી રહ્યાં છે. સાથે જ રામાયણથી જોડાયેલી જૂની યાદો પણ લોકો વધુને વધુ શેર કરી રહ્યાં છે. એવું પ્રતીત થઈ રહ્યું છે કે, જાણે આ શો દ્વારા લોકોને જૂનો સમય પાછો મળી ગયો છે.