રામાયણ અને મહાભારત જેવા શોઝની વાપસી થયા બાદ દર્શકો ઘણાં જ ખુશ છે. લોકડાઉનમાં આ સીરિયલ્સ જોવાનો ક્રેઝ લોકોમાં વધી ગયો છે. રામ, સીત અને લક્ષ્મય સિવાય જે કેરેક્ટરે સૌથી વધુ ધ્યાન ખેંચ્યુ એ રાવણ જ હતા. શોમાં રાવણના ડાયલોગ્સ, એક્ટિંગ અને હસવાની રીતથી દર્શકો ખૂબ પ્રભાવિત થયા હતા. રામાયણમાં ભલે રાવણ રામની વિરૂદ્ધ હતા પરંતુ અસલ જિંદગીમાં રાવણ રામના પરમ ભક્ત છે.
રામાયણના રાવણ અસલ જિંદગીમાં રામના પરમ ભક્ત છે
રામાયણ ફરી પ્રસારિત થવાથી બહુ જ ખુશ છે અરવિંદ ત્રિવેદી
તેમનો રાવણનો રોલ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો
રામાયણમાં રાવણનો રોલ અરવિંદ ત્રિવેદીએ નિભાવ્યો હતો. હાલ તેમની ઉંમર 82 વર્ષની છે અને સીરિયલથી વિપરિત તેઓ હમેશાં રામભક્તિમાં લીન રહે છે. રામાયણ ફરી પ્રસારિત થવાથી તેઓ ખૂબ જ ખુશ છે અને રોજ રામાયણ જુએ છે. ઘણીવાર તેઓ ભાવુક પણ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર અરવિંદ ત્રિવેદીના ઘણાં વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે.
બહુ ઓછાં લોકો આ વાત જાણે છે કે, અરવિંદ ત્રિવેદી રામાયણમાં રાવણનો નહીં પણ કેવટનો રોલ કરવા માંગતા હતા. આ વાતનો ખુલાસો તેમણે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. જોકે, લોકોને તેમનો આ રોલ ખૂબ જ પસંદ આવ્યો હતો.
અરવિંદ ત્રિવેદીએ ઈન્ટરવ્યૂની વાત શેર કરતા કહ્યું હતું કે, મારી ઈચ્છા રામાયણમાં કેવટનો રોલ પ્લે કરવાની હતી. જેથી મેં રામાનંદ સાગરને આ રોલ આપવા ભલામણ કરી હતી. પરંતુ તેઓ માન્યા નહીં. તેમણે મને સ્ક્રિપ્ટ વાંચવાનું કહ્યું. મેં સ્ક્રિપ્ટ વાંચી અને ત્યાંથી જવા લાગ્યો તો રામાનંદે મને રોકીને કહ્યું કે, તેમને લંકેશ મળી ગયા. તેમની આ વાત સાંભળી હું ચોંકી ગયો હતો. મેં કોઈ જ ડાયલોગ્સ વાંચ્યા નહોતા. તો રામાનંદે કહ્યું- તેઓ તેમના હાવભાવ જોઈને સમજી ગયા કે, હું રાવણ બનવા યોગ્ય છે. તેમને રામાયણમાં એવા રાવણ જોઈતા હતા જેનામાં બુદ્ધિ-બળ અને મુખ પર તેજ હોય.