રામાનંદ સાગરની સીરિયલ રામાયણની શૂટિંગથી જોડાયેલા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. જેમાં રામાયણના લક્ષ્મણ એટલે કે સુનીલ લહરીએ હનુમાનની પૂંછડીથી લઈને અશોક વાટિકા સુધીની રિયાલિટી જણાવી છે. ત્યારે હવે સુનીલે રામસેતુના નિર્માણનો બિહાઈન્ડ ધ સીનનો વધુ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
લોકડાઉનમાં રામાયણનું રિ-ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું
તો હવે રામાયણના લક્ષણ શોના બિહાઈન્ડ ધ સીન કિસ્સા જણાવે છે
રામસેતુ રિયલ લાઈફમાં પણ રહસ્યમયી અને લોકોમાં ઉત્સુકતા જગાડે છે, પરંતુ પડદાં પર તેનું નિર્માણ, તરતા પત્થરો અને વાનર સેનાનું લંકા પહોંચવા સહિતની કહાની જણાવી છે. હવે આ કઈ રીતે શક્ય બન્યું, તે વિષય પર સુનીલે ચર્ચા કરી છે. સુનીલે તેની લેટેસ્ટ વીડિયોમાં રામસેતુ મેકિંગ અંગે જણાવ્યું- અમે પરેશાન હતા કે કઈ રીતે શૂટિંગ થશે. કોઈ બ્રિજ નહોતું બનાવ્યું, સેટ પર એવું કંઈ દેખાતું પણ નહોતું, પરંતુ અમે જોયું કે રામસેતુ માટે મિનિએચર બનાવ્યું હતું, જે લગભગ દોઢ ફૂટ લાંબુ અને 6 ઈંચ પહોળુ હતું.
A post shared by Ramayan (@ramanandsagarramayan) on
તેમાં નાના-નાના પત્થરો એક લાકડાની પ્લેટ પર ચોંટાડવામાં આવ્યા હતા. તે દેખાવમાં રિયલ લાગતા હતા પરંતુ અમને પરેશાની એ હતી કે, તેને મોટા કઈ રીતે દેખાડવામાં આવે. પછી તેના માટે અલગથી કેમેરા લગાયો હતો, જેમાં રામસેતુનો પુલ ખૂબ જ લાંબો દેખાડવામાં આવ્યો હતો. બીજા કેમેરામાં દરિયો દેખાડવામાં આવ્યો હતો. જે પ્લેટ પર બનાવવામાં આવ્યો હતો. ત્રીજા કેમેરામાં અમે બધાં ક્રોમામાં હતા અને ચોથા કેમેરામાં પત્થરો કેપ્ચર કરવામાં આવ્યા હતા.
રામસેતુના નિર્માણમાં સૌથી અગત્યની વસ્તુ હતી પુલ પર તરતા પત્થરો. પરંતુ રામાનંદ સાગરે તેના માટે પણ શાનદાર રસ્તો શોધી કાઢ્યો. આગળ સુનીલે કહ્યું- એક્રિલિકના સ્ટોન્સ બનાવવામાં આવ્યા હતા. સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું, અડધાં-અડધા પત્થરો મિક્સ કરીને એક મોટું પથ્થર બનાવવામાં આવ્યા હતા. કેટલાક વાસ્તવિક મોટા પત્થરો પણ હતા. વાસ્તવિક પત્થરો પાણીમાં ડૂબી જતા હતા અને એક્રેલિકના પત્થરો પર રામ લખવામાં આવતું અને તે તરતા હતા. જ્યારે આ ચાર કેમેરાનું રેકોર્ડિંગ જોવામાં આવ્યું તો રિઝલ્ટ શાનદાર હતું.