દંગલ ટીવી પર ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી સ્ટારર રામાયણનું રિ-ટેલિકાસ્ટ શરૂ થવાનું છે. આ શોમાં રામ-સીતાના રોલમાં ગુરમીત-દેબીનાને જબરદસ્ત પોપ્યુલારિટી મળી હતી, પરંતુ રાવણની ભૂમિકા ભજવનાર એક્ટર અખિલેન્દ્ર મિશ્રાની દમદાર એક્ટિંગે લોકોના મન પર અમિટ છાપ છોડી હતી.
2008માં આવેલી રામાયણમાં અખિલેન્દ્રએ રાવણની ભૂમિકા ભજવી હતી
દર્શકોને અખિલેન્દ્રની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી
અનેક દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ કામ કરી ચૂક્યો છે અખિલેન્દ્ર
અખિલેન્દ્ર મિશ્રાનું ફિલ્મી અને ટીવી કરિયર ઘણું જ લાંબુ રહ્યું છે. તે ઘણી ફિલ્મો અને શોઝમાં જબરદસ્ત એક્ટિંગ કરતા જોવા મળ્યા છે. રામાયણમાં રાવણની ભૂમિકા ભજવી અખિલેન્દ્રને એટલી જ પ્રસિદ્ધિ મળી હતી, જેટલી ચંદ્રકાંતામાં ક્રૂર સિંહના રોલથી મળી હતી. એવું પણ કહી શકાય છે કે, 1955માં આવેલાં શો ચંદ્રકાંતાથી અખિલેન્દ્રના કરિયરને ગતિ મળી હતી.
ક્રૂર સિંહના રોલમાં અખિલેન્દ્ર બાળકોની વચ્ચે ઘણો જ પોપ્યુલર થયો હતો. તેના અજીબોગરીબ અને ડરામણા લુકને કારણે તેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જોકે, તેની એક્ટિંગ દમદાર હતી. 2013માં આવેલી મહાભારતમાં તેમણે કંસની ભૂમિકા ભજવી હતી.
અખિલેન્દ્રએ તેના કરિયરની શરૂઆત સીરિયલ ઉડાનથી કરી હતી. જે 1990માં આવી હતી. ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. જેમાં સરફરોશ, લગાન, લાલ સલામ, ગંગાજલ, પરવાના, યે દિલ, હલચલ, વીર ઝારા, અપહરણણ, ફિદા, દિલ્હી 6, રેડી જેવી ફિલ્મો પણ સામેલ છે.
લગાનમાં અર્જુનના રોલમાં અખિલેન્દ્ર ઘણો જ પોપ્યુલર થયો હતો. તેની એક્ટિંગના બધાં દિવાના બની ગયા હતા. જ્યારે આમિરની સરફરોશમાં તેના મિર્ચી શેઠના રોલમાં પણ ખૂબ પ્રસંશા થઈ હતી. અખિલેન્દ્ર મિશ્રા ઘણાં દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યો છે. અખિલેન્દ્રએ રામાયણમાં રાવણનો ઉત્તમ રોલ પ્લે કર્યો હતો. 2008માં આવેલી રામાયણમાં અખિલેન્દ્રએ જ્યારે રાવણનો રોલ પ્લે કર્યો તો તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો.