દૂરદર્શન પર જ્યારથી રામાયણને ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યુ છે, ત્યારથી શોથી જોડાયેલી ઘણી બાબતો સામે આવી રહી છે. એવામાં આ અંગેની સતત જાણકારી અમે તમારી સાથે શૅર કરતા આવી રહ્યા છે. આજે અમે તમને રામાયણના રાવણના કેરેક્ટરની સાથે જોડાયેલી એક એવી વાત કરીશું તે તમે ભાગ્યે જ જાણતા હશો.
રામાયણમાં રાવણનું કેરેક્ટર આમ તો એક્ટર અરવિંદ ત્રિવેદીએ પ્લે કર્યુ હતુ પરંતુ આ પહેલા બોલિવુડના એક્ટર અમરીશ પુરીનું નામ આ રોલ માટે ફાઇનલ થઇ ગયુ હતુ પરંતુ ઑડિશન દરમિયાન કંઇક એવું થયું કે રામાનંદ સાગરનું મન સંપૂર્ણ રીતે બદલાઇ ગયું.
આ વાત તે દરમિયાન થઇ જ્યારે રામાયણના ઑડિશન ચાલી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામાનંદ સાગરની ટીમથી જોડાયેલા સભ્યો તેમણે રાવણ માટે અમરીશ પુરીનું નામ કહી રહ્યા હતા. રામાનંદ સાગર પોતે પણ અમરીશ પુરીને આ રોલ માટે પરફેક્ટ માંગતા હતા. જોકે અરવિંદ ત્રિવેદી કહે છે કે, રામજીની કૃપાથી તેમણે રાવણનો રોલ મળ્યો. ઓડિશન દરમિયાન થયેલી આ ઘટના સાંભળીને માન્યતા સાચ્ચી લાગવા લાગી.
વાસ્તવમાં અરવિંદ ત્રિવેદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, જ્યારે તેઓ રામાનંદ સાગરની સીરિયલ રામાયમ બનાવવા માટે ઑડિશન આપવા માટે ગુજરાતથી મુંબઇ પહોંચ્યા. આશ્ચર્યની વાત કરવામાં આવે તો રામાયણમાં કેવર નું કેરેક્ટર પ્લે કરવા માંગતા હતા, પરંતુ સીરિયલમાં રાવણના કેરેક્ટર માટે માંગ હતી કે દિગ્ગજ એક્ટર અમરીશ પૂરીને કાસ્ટ કરવામાં આવે. પરંતુ જ્યારે ઓડિશન ખત્મ થયું ત્યારે રામાનંદ સાગરે કહ્યુ કે, મારી બૉડી લેગ્વેજ અને એટિટ્યૂડ જોઇને તેઓ બોલ્યા મને મારો રાવણ મળી ગયો અને આ રીતે અરવિંદ ત્રિવેદીએ ઇતિહાસ રચી દીધો.
ઉલ્લેખનીય છે કે , દૂરદર્શન પર બીજીવાર પ્રસારિત થતી સિરિયલ ‘રામાયણ’એ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડીને ટોપ પોઝીશન મેળવી છે. વર્ષ 2020ના 14મા અઠવાડિયે દૂરદર્શન પર આવતી ‘રામાયણ’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. આટલું જ નહીં દૂરદર્શનની વ્યૂઅરશિપમાં પણ 40 કરોડનો વધારો થયો છે.