જ્યારથી લોકડાઉનને કારણે દૂરદર્શન પર રામાયણ-મહાભારત જેવા પોપ્યુલર શો ફરી પ્રસારિત કરવામાં આવ્યા છે ત્યારથી જ દર્શકોમાં આ શોઝ માટેનો ક્રેઝ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. આ જ કારણથી રામાયણની ટીઆરપીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે, હવે રામાયણથી જોડાયેલાં કલાકારો અને શોના કેટલાક કિસ્સાઓ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. આજે અમે તમને રામાયણની શૂટિંગથી જોડાયેલાં ખાસ કિસ્સા વિશે જણાવીશું.
દૂરદર્શન પર ધૂમ મચાવી રહી છે રામાનંદ સાગરની રામાયણ
શોના કેટલાક કિસ્સાઓ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે
ત્યારે રાવણ અંગેની કેટલીક અજાણી વાતો થઈ વાયરલ
રામાયણમાં રાવણનો રોલ ભજવનાર અરવિંદ ત્રિવેદીએ તેમના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, રાવણનો રોલ ખૂબ જ અઘરો હતો. પણ શું તમે જાણો છો કે, અરવિંદ ત્રિવેદીના રામની દયાથી રાવણનો રોલ મળ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાવણના રોલ માટેના ઓડિશન માટે 400થી પણ વધુ લોકો આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ રોલએ મારી જિંદગી બદલી નાખી. આ પછી મેં કુલ 250 ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.
A post shared by Ramayan (@ramanandsagarramayan) on
આ જ ઈન્ટરવ્યૂમાં તેમની પૌત્રીએ જણાવ્યું કે, રાવણનો રોલ અરવિંદ ત્રિવેદી માટે કેટલો મુશ્કેલ હતો. તેમને તૈયાર થવા માટે 5 કલાકનો સમય લાગતો હતો અને તેમના ઝવેરાતનો વજન પણ વધારે હતો. કોસ્ચ્યૂમ પણ ભારે હતો અને લગભગ 10 કિલોનો તો માત્ર મુગટ જ હતો. તેમણે જણાવ્યું કે, શૂટિંગ દરમિયાન તેઓ પૂજા કરતા હતા અને જ્યારે શૂટિંગ પર જતા ત્યારે ઉપવાસ રાખીને જતા હતા અને પછી શૂટિંગ પૂરી થયા બાદ બધો જ મેકઅપ કાઢીને કંઈપણ ખાતાં હતા. તેઓ હમેશાં સેટ પર જતાં પહેલાં રામજીની પૂજા કરતા હતા અને તેમનાથી માફી માંગતા હતા અને કહેતા કે, હું મારા આ રોલને કારણે તમને કેટલાક અપશબ્દો કહીશ, મને માફ કરી દેજો.
A post shared by Ramayan (@ramanandsagarramayan) on
82 વર્ષના અરવિંદ ત્રિવેદી હવે એક્ટિંગ અને લાઈમલાઈટથી દૂર છે અને પૂજા-આરાધનામાં પોતાનો સમય વિતાવી રહ્યાં છે. જોકે, ઘરે રહીને તેઓ નિયમિત રામાયણ જુએ છે.તમને જણાવી દઈએ કે, અરવિંદ ત્રિવેદી રાજકારણમાં પણ કામ કરી ચૂક્યા છે અને ત્યાં પણ તેમને ઘણી સફળતા મળી હતી.