દેશમાં લોકડાઉનને કારણે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત સહિત ઘણાં શોઝ ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં દર્શકોની ભારે ડિમાન્ડથી સૌથી પહેલાં રામાયણ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું અને રામાયણની ટીઆરપીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે રામાયણથી જોડાયેલા કલાકારો અને કિસ્સાઓ હાલ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યાં છે. દર્શકો રામાયણના કલાકારો અને શોથી જોડાયેલા વાતો જાણવા ઉત્સુક રહે છે. તો આજે અમે તમને ફરી રામાયણના રામથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવી રહ્યાં છે.
રામાયણે લોકડાઉનમાં મચાવી ધૂમ
દર્શકો રામાયણથી જોડાયેલા દરેક કિસ્સા જાણવા માંગે છે
ત્યારે હવે શ્રીરામથી જોડાયેલ આ કિસ્સો થયો વાયરલ
અરૂણ ગોવિલ (રામ)થી જોડાયેલો આ કિસ્સો તેમની શૂટિંગ દરમિયાનનો છે. અરૂણ ગોવિલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ કિસ્સા પછી તેઓ ખૂબ જ ડરી ગયા હતા. તેમણે કહ્યું-તેમને યાદ છે કે, એક દિવસ તેઓ ટી-શર્ટ પહેરીને સેટ પર બેઠા હતા. પછી ત્યાં એક મહિલા સેટ પર આવી અને પૂછવા લાગી કે, શ્રી રામ ક્યાં છે. મહિલા તેમને મળવા માંગતી હતી. તેના ખોળામાં એક બાળક હતું. પછી મહિલાને અરૂણ પાસે મોકલવામાં આવી. મહિલા અરૂણ પાસે આવી અને તેનું બીમાર બાળક તેના પગ પાસે મૂકી દીધું અને કહેવા લાગી મારા બાળકને બચાવી લો.
અરૂણે આગળ કહ્યું આ જોઈને હું ગભરાઈ ગયો અને પછી અરૂણને તે મહિલાને સમજાઈ કે આ શું કરી રહી છે. હું કંઈ નહીં કરી શકું. તમે આ બાળકને કોઈ ડોક્ટર પાસે લઈ જાઓ, પછી અરૂણે તે મહિલાને પૈસા આપ્યા અને તે ત્યાંથી જતી રહી. થોડાં સમય પછી ફરી પેલી મહિલા સેટ પર આવી હતી. તેની સાથે તે તેના બાળકને પણ લઈને આવી હતી. જોકે, આ વખતે તેનું બાળક સ્વસ્થ હતું.
તેમણે જણાવ્યું કે, એ દિવસ તેમને વિશ્વાસ થઈ ગયો હતો કે, ભગવાનથી કંઈક સાચા દિલથી માંગો તો તે મળી જાય છે. અરૂણ ગોવિલે જણાવ્યું કે, તેઓ એ બાળકની હાલત જોઈને ઈમોશનલ થઈ ગયા હતા અને ભગવાનથી પ્રાર્થના કરી હતી કે તે જલ્દી સાજો થઈ જાય. અરૂણે જે રીતે ભગવાન રામનો રોલ નિભાવ્યો હતો, તેના માટે તેમને ખૂબ સન્માન મળ્યું હતું. રામાયણને લઈને લોકોમાં એટલી શ્રદ્ધા હતી કે, ઘણાં લોકો ટીવી પર તેમને જોતાં જ તેમની પૂજા કરવા લાગતા હતા.