જ્યાં એક તરફ સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ દૂરદર્શને તેના દર્શકોના મનોરંજન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. લોકડાઉનમાં દૂરદર્શનને કારણે જૂના દિવસો પાછા આવી રહ્યાં છે. દૂરદર્શન પર ધાર્મિક શો રામાયણ અને મહાભારત પહેલાં જ રિલીઝ થઈ ચૂક્યું છે અને હવે દૂરદર્શને અન્ય 5 ક્લાસિક શોઝ ફરી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. સૂચના અને પ્રસારણ પ્રધાને દૂરદર્શન પર ફરી ટેલિકાસ્ટ કરાશે એ શો વિશે ટ્વિટર પર જાણકારીદૂ આપી છે.
દૂરદર્શને દર્શકોને આપી મોટી ભેટ
રામાયણ-મહાભારત પછી આ સુપરહિટ શોઝ ફરી રિલીઝ થશે
પ્રસારણ પ્રધાને ટ્વિટર પર આપી જાણકારી
તાજેતરમાં જ ભારત સરકારના માહિતી વિભાગ ટ્વિટ કરીને કહ્યું કે 'દૂરદર્શન ટેલિવિઝનનો સુવર્ણ યુગ પાછો લાવવા માટે તૈયાર છે; શક્તિમાન, શ્રીમાન શ્રીમતી, ચાણક્ય, ઉપનિષદ ગંગા, કૃષ્ણ કાલી સીરિયલ્સને ફરીથી એપ્રિલ 2020થી પ્રસારિત કરવાની યોજના છે. એટલે કે હવે ટીવીના 5 સૌથી લોકપ્રિય શો ફરી પાછા આવશે. જેમાં એક કોમેડી શો પણ છે.
टेलीविजन के स्वर्णिम युग को फिर वापस लाने के लिए तैयार दूरदर्शन; शक्तिमान, श्रीमान श्रीमती, चाणक्य, उपनिषद गंगा, कृष्णा काली धारावाहिकों को अप्रैल,2020 से पुनः प्रसारित किए जाने की योजना#IndiaFightsCorona#StayHomeIndia
આ ટ્વિટ પછી વધુ એક ટ્વિટ કરવામમાં આવ્યું જેમા કહ્યું- સૂચના અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને સૂચના આપી છે કે, દૂરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ચેનલો ફરજિયાત બતાવવા આવે. જો દર્શકો ઇચ્છિત ડીડી ચેનલને જોઈ નથી શકી રહ્યાં તો [email protected] પર ફરિયાદ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દૂરદર્શનના મહાભારતનું ટેલિકાસ્ટ ડીડી ભારતી પર અને રામાયણનું ડીડી નેશનલ ચેનલ પર ટેલિકાસ્ટ શરૂ થઈ ચૂક્યું છે. આ સિવાય શાહરૂખ ખાનનો શો 'સર્કસ' અને ડિટેક્ટીવ સીરિયલ 'વ્યોમકેશ બક્ષી' પણ ફરીથી બતાવવામાં આવી રહી છે. 90ના દાયકાના આ શોઝ જોઈને દર્શકો ખુશ થઈ ગયા છે.