લોકડાઉન દૂરદર્શન માટે વરદાન સાબિત થયું છે. ચેનલ પર ટેલિકાસ્ટ થયેલી 90ના દાયકાની સિરિયલો વર્ષ 2020માં ધૂમ મચાવી રહી છે. આ જ કારણ છે કે, દૂરદર્શનને છપ્પરફાડ ટીઆરપી અને વ્યૂઅરશિપ મળી રહી છે. રામાયણ, મહાભારત, શક્તિમાન જેવા ઘણા શો ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. પરંતુ હવે દર્શકોની માંગ છે કે, ફરીથી કેટલાક વધુ શો ટેલિકાસ્ટ કરવામાં આવે. જાણો તે કઈ સીરિયલ્સ છે.
દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું
તો હવે દૂરદર્શન પર અન્ય શોઝ પ્રસારિત કરવાની ડિમાન્ડ વધી
દર્શકો ચંદ્રકાંતા સહિતના આ શોઝ ફરી જોવા માંગે છે
પ્રસાર ભારતીએ ગુરુવારે ટ્વિટ કર્યું હતું કે, ડીડી નેશનલ બીજા અઠવાડિયામાં પણ પ્રથમ ક્રમે છે. ડીડી નેશનલને 13મા અઠવાડિયામાં 1.5 અબજ વ્યૂઅરશિપ મળી છે. જ્યારે 14મા અઠવાડિયામાં તેમાં વધારો જોવા મળ્યો છે. 14મા અઠવાડિયામાં ડીડી નેશનલની વ્યૂઅરશિપ 1.9 અબજથી વધુ છે. જેથી હવવે ડીડી નેશનલે પોતે જ પોતાનો જૂનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે.
આ ચેનલ માટે ખૂબ મોટી ઉપબલ્ધિ છે. હાલના સમયે દૂરદર્શનમાં જૂની સીરિયલ્સના રી-ટેલિકાસ્ટના કારણે ચેનલે ફરીથી પોતાની લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે. ત્યારે દર્શકો પણ ચેનલને અભિનંદન પાઠવી રહ્યાં છે. પણ તેની સાથે જ હવે દર્શકોની માંગ પણ વધી રહી છે. લોકોનું કહેવું છે કે, હવે રામાનંદ સાગરના શો શ્રી કૃષ્ણ અને વિક્રમ બેતાલનું પણ ટેલિકાસ્ટ કરવામાં આવે. કેટલાક લોકો કહે છે કે, ચંદ્રકાન્તાને ફરી પ્રસારિત કરવામાં આવે તો ઘણાની માંગ છે કે, જાયન્ટ રોબોટ, ચંદ્રમુખી, નુક્કડ અને ઈંતઝાર જેવા શો ફરીથી પ્રસારિત થાય.
તમને જણાવી દઈએ કે, આ શો તેની સમયમાં સુપરહિટ રહ્યા હતા. અન્ય મેકર્સ ચંદ્રકાન્તાનું રિમેક પણ બનાવી ચૂક્યા છે, અન્ય કોઈપણ શોને એટલો પ્રેમ અને પોપ્યુલારિટી નથી મળી, જેટલી દૂરદર્શન પર પ્રસારિત થનારા નિરજા ગુલેરીના શો ચંદ્રકાંતાને મળી હતી. આ શોમાં બોલિવૂડ એક્ટર ઈરફાન ખાને પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે, દૂરદર્શન દર્શકોની ડિમાન્ડ પૂરી કરશે કે નહીં. જોકે, હાલ દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.