આજકાલ ટેલિવિઝનથી લઈને સોશિયલ મીડિયા પર માત્ર દૂરદર્શનના જ ચર્ચા છે. દૂરદર્શનને તેના સૌથી પોપ્યુલર ટીવી શોઝનું પ્રસારણ ફરી શરૂ કર્યું છે. જેથી દર્શકો ખુબ જ ખુશ છે. જોકે, દૂરદર્શને રામાયણ અને મહાભારતથી શરૂઆત કરી છે. દર્શકોની ભારે ડિમાન્ડ બાદ તેની શરૂઆત કરવામાં આવી હતી.
રામાયણ અને મહાભારતે બદલ્યા દૂરદર્શનના દિવસો
દૂરદર્શન બની નંબર વન ચેનલ
રેકોર્ડ બ્રેક ટીઆરપીમાં આ શોઝનો પણ છે ફાળો
જોકે, રામાયણ પછી અન્ય કેટલાક શોઝને ફરી પ્રસારિત કરવાની માંગ વધી અને પછી દૂરદર્શને તેના લોકપ્રિય શોઝનું પ્રસારણ શરૂ કર્યું. આ જ શોઝને કારણે દૂરદર્શન છેલ્લા 2 સપ્તાહથી નંબર વન ચેનલની પોઝિશન પર છે. દૂરદર્શને આ એતિહાસિક ટીઆરપી માત્ર રામાયણથી જ નહીં પરતું અન્ય કેટલાક શોઝને કારણે પણ હાંસલ કરી છે.
રામાયણ અને મહાભારત બાદ દૂરદર્શન પર સૌથી વધુ જોવાતો શો શક્તિમાન છે. આ શો સાંજે 8 વાગ્યે પ્રસારિત કરવામાં આવે છે. બાર્ક મુજબ, 13મા સપ્તાહમાં શક્તિમાનનું પ્રસારણ થવાની વ્યૂઅરશિપ 20.8 થઈ ગઈ, જે અગાઉ આ સ્લોટમાં 1.7 હતી.
દૂરદર્શન પર ટીવી શો બુનિયાદ સાંજે 5 વાગ્યે પ્રસારિત થાય છે. આ સ્લોટની વ્યૂઅરશિપ 13મા અઠવાડિયામાં વધીને 4.5 થઈ ગઈ છે, જે અગાઉ 0.02 હતી.
આ ઉપરાંત સાંજે 6 વાગ્યે કોમેડી શો દેખ ભાઈ દેખ પ્રસારિત થાય છે. આ સ્લોટની વ્યૂઅરશિપમાં પણ ભારે વધારો થયો છે. જે પહેલાં 0.03 હતી, તે હવે વધીને 20.8 થઈ ગઈ છે.
ડિટેક્ટિવ શો વ્યોમકેશ બક્ષી સવારે 11 વાગ્યે દૂરદર્શન પર પ્રસારિત થાય છે. આ સ્લોટની વ્યૂઅરશિપમાં 2.6 ટકાનો વધારો થયો છે, એટલે કે તે 1.7થી વધીને 4.5 થઈ ગઈ છે.
આ ઉપરાંત વધુ એક કોમેડી શો શ્રીમાન શ્રીમતી દૂરદર્શન પર બપોરે 4 વાગ્યે પ્રસારિત કરવામાં આવે છે. આ શોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સ્લોટની વ્યૂઅરશિપ 0.4થી વધીને 0.8 થઈ ગઈ છે.
દૂરદર્શનના શો રામાયણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોની સંયુક્ત યાદીમાં 61397 ઈમ્પ્રેશંસ હાંસલ કર્યા છે. બીજી તરફ, ડીડી ભારતીના શો મહાભારતને 16750 ઈમ્પ્રેશંસ મળ્યાં છે.